પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા EDએ મોટી કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપિન્દર સિંહ હની અને અન્યના ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા EDએ મોટી કાર્યવાહી
CM ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજાના ઘરે દરોડા
ગેરકાયદેસર રેતી ખનનના મામલામાં કાર્યવાહી
પંજાબના CM ચન્નીના ભત્રીજા વિરુદ્ધ ED ની કાર્યવાહી
પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા EDએ મોટી કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપિન્દર સિંહ હની અને અન્યના ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર રેતી ખનનના મામલામાં સીએમ ચન્નીના ભત્રીજા સામે ED ની કાર્યવાહી ચાલી રહી છે.
ભૂપિન્દર સિંહ હની સીએમ ચન્નીના નજીકના છે
જાણો રેત માફિયા ભૂપિન્દર સિંહ હની પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નજીકના માનવામાં આવે છે. ED હોમલેન્ડ સોસાયટીમાં હનીના ઘરે દરોડા પાડી રહી છે. આ ઉપરાંત પણ ED પંજાબમાં બીજી ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે.
અરવિંદ કેજરીવાલે શું કહ્યું?
આ મામલે જ્યારે અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે પંજાબના સીએમના સંબંધીને દરોડા પાડવામાં આવી રહ્યા છે એ એક દુઃખદ ઘટના છે. તેમણે કહ્યું હતું કે અગાઉ આમ આદમિ પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ પણ મુખ્યમંત્રીને બતાવ્યું હતું કે ક્યાં ક્યાં રેતચોરી થઈ રહી છે.
Mohali, Punjab | It's very sad to know that raid is being conducted on the premises of Punjab CM Charanjit Singh Channi's relative in connection with a case of illegal sand mining. Punjab CM & his relatives are involved in illegal sand mining: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/OhdQYA8OSn
પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થશે
નોંધનીય છે કે પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણી એક તબક્કામાં યોજાશે. પંજાબમાં પહેલા 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતું, પરંતુ રવિદાસ જયંતિના કારણે ચૂંટણી પંચે મતદાનની તારીખ લંબાવી છે. ઘણા રાજકીય પક્ષોએ આ માટે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો.
ગેરકાયદેસર રેતી ખનન ચૂંટણીનો મહત્વનો મુદ્દો
જણાવી દઈએ કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ગેરકાયદેસર રેતી ખનન અને રેતી માફિયાઓનો મુદ્દો મહત્વનો છે. સીએમ ચરણજીત સિંહ ચન્ની, નવજોત સિંહ સિદ્ધુ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઘણી વખત આ મુદ્દો ઉઠાવ્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ તો રેતીના દર નક્કી કરવાનું વચન પણ આપ્યું છે.