એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે કોલકાતા સ્થિત મોબાઇલ ગેમિંગ એપ કંપનીના પ્રમોટર્સ પર દરોડા પાડ્યા બાદ રૂ. 17.32 કરોડની રોકડ જપ્ત કરી હતી
EDએ કોલકાતામાં દરોડા પાડી 17 કરોડની રોકડ જપ્ત
EDની કાર્યવાહી બાદ TMC-ભાજપ વચ્ચે શાબ્દિકયુદ્ધ
મોબાઇલ ગેમિંગ એપ કંપનીના પ્રમોટર્સ પર પાડ્યા હતા દરોડા
EDએ કોલકાતામાં દરોડા પાડ્યા અને મોટી રકમની રોકડ રિકવર કરી છે. વિગતો મુજબ આ કાર્યવાહી એક વેપારીના ઘરે થઈ હતી. EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉદ્યોગપતિના ઘરેથી રૂ. 17 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે કોલકાતા સ્થિત મોબાઇલ ગેમિંગ એપ કંપનીના પ્રમોટર્સ પર દરોડા પાડ્યા બાદ રૂ. 17.32 કરોડની રોકડ મળી આવી હતી. જપ્ત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે હવે આ મામલે રાજકારણ શરૂ થયું છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, હવે આ મામલામાં ED એપ પ્રમોટરોની રાજકીય કડીઓના એંગલની પણ તપાસ કરી રહી છે. સાથે જ એ પણ શોધી રહ્યું છે કે, આ રોકડ કોની પાસેથી લૂંટવામાં આવી છે એટલે કે તેના વાસ્તવિક લાભાર્થીઓ કોણ છે. EDએ તપાસમાં નોટોના બંડલ જપ્ત કર્યા હતા. જેમાં રૂ.500ની નોટોના બંડલ તેમજ રૂ.2000 અને રૂ.100ની નોટોના બંડલ પણ મળી આવ્યા છે.
મહત્વનું છે કે, કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં EDએ આ કાર્યવાહી કરી હતી. તપાસ એજન્સી આ કેસમાં આરોપી આમિર ખાનને શોધી રહી છે. , કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્ય આરોપી અમીર ટીમ દરોડા દરમ્યાન મળી આવ્યો ન હતો. એજન્સીના અધિકારીઓએ નોટો ગણવા માટે 8 મશીન લગાવ્યા હતા. આ સાથે રોકડની ચોક્કસ કિંમત જાણવા માટે બેંક કર્મચારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. આ પછી સાંજે એક ટ્રક પણ સ્ટીલની વિશાળ ટાંકીઓ લઈને ઘટનાસ્થળે પહોંચી હતી જેથી જપ્ત કરાયેલી રોકડ બેંકમાં જમા કરાવવા લઈ શકાય.
In search operations today, under the provisions of the Prevention of Money Laundering Act (PMLA), 2002, at 6 premises in Kolkata in connection with an investigation relating to Mobile Gaming Application, Rs 7 Crores cash found so far, counting of the amount is still in progress. pic.twitter.com/VIkoLzE54K
10 ઓગસ્ટના રોજ EDની કાર્યવાહી બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ વચ્ચે શબ્દ યુદ્ધ ફાટી નીકળ્યું. TMCના વરિષ્ઠ મંત્રી અને કોલકાતાના મેયર ફિરહાદ હકીમે કહ્યું કે, તેમની પાર્ટીને આરોપી બિઝનેસમેન સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ આરોપ છે કે, ED લોકોમાં ડર ફેલાવીને રોકાણકારોને રાજ્યમાંથી ભગાડવા માંગે છે. બીજી તરફ ભાજપે આ આરોપને ફગાવતા કહ્યું કે, દરોડા માત્ર અનૈતિક વેપારીઓ સામે જ પડ્યા હતા.
આ તરફ ટીએમસીના વરિષ્ઠ નેતાએ આરોપ લગાવ્યો કે, શું તેનો અર્થ એ છે કે બંગાળ જેવા બિન-ભાજપ શાસિત રાજ્યોના વેપારીઓ સામે દરોડા પાડવામાં આવશે. આ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા હેરાનગતિના ડરથી રોકાણકારોને બંગાળ આવતા અટકાવવા માટે છે. આનો વિરોધ કરતા ભાજપના પ્રદેશ પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ દાવો કર્યો હતો કે, આવા નિવેદનો ડરના કારણે આવે છે. કારણ કે લોકો મની લોન્ડરિંગ અને ટીએમસી વચ્ચેની સાંઠગાંઠથી વાકેફ છે. એ પણ કહ્યું કે, EDના દરોડા સામાન્ય રીતે વેપારી સમુદાય વિરુદ્ધ નથી. તે માત્ર અનૈતિક વેપારીઓ સામે છે.