સંજય રાઉતે ઈડીની કાર્યવાહી પર આકરા પ્રહારો કર્યા હતા
પાત્રા ચોલ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો સામનો કરી રહેલા સંજય રાઉતની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. આજે સવાર સવારમાં ઈડીના અધિકારીઓએ સંજય રાઉતના ઘરે પહોંચી ગયા હતા. તેમના ઘરે પૂછપરછ ચાલી રહી છે. આ તમામની વચ્ચે સંજય રાઉતે ટ્વિટ પણ કર્યા છે.
તેમણે પોતાના ટ્વિટર હૈંડલ પર લખ્યું છે કે, મારે કોઈ કૌભાંડમાં લેવા દેવા નથી, આ હું શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેના શપથ લઈને કહી રહ્યો છું. બાલાસાહેબે અમને લડતા શિખવાડ્યું છે. હું શિવસેના માટે લડવાનું ચાલુ રાખીશું. તેમણે ઈડીની કાર્યવાહીને ખોટી ગણાવી છે. કહ્યું ખોટા પુરાવા છે. હું શિવસેના નહીં છોડુ, હું મરી જઈશ તો પણ સમર્પણ નહીં કરું.
તપાસમાં સહયોગ નહીં કરવાનો આરોપ
હકીકતમાં મહારાષ્ટ્રના 1000 કરોડથી વધારેના પાત્રા ચોલ જમીન કૌભાંડ મામલે ઈડીની ટીમ સંજય રાઉત સાથે પૂછપરછ કરી રહી છે. એક જૂલાઈએ સંજય રાઉત ઈડીની સામે હાજર થવાના હતા. ઈડીએ 20 જૂલાઈ તથા 27 જૂલાઈના રોજ તેમને ફરીથી બોલાવ્યા હતા. જો કે, રાઉત ઈડીની ઓફિસે પહોંચ્યા નહોતા. ત્યારે તેમના પર તપાસમાં સહયોગ નહીં કરવાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ઈડીની ટીમ રાઉતને ધરપકડમાં લઈને પૂછપરછ કરી શકે છે.
શું છે પાત્રા ચોલ કૌભાંડ
આ મામલો મુંબઈના ગોરેગાવ વિસ્તારના પાત્રા ચોલ સાથે જોડાયેલ છે. તે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવેલપમેટ અથોરિટીનો ભાગ છે. તેમાં લગભગ 1034 કરોડનો ગોટાળો થયો હોવાનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની નવ કરોડ રૂપિયા અને તેમના પત્ની વર્ષાની બે કરોડની સંપત્તિ જપ્ત થઈ ચુકી છે. આરોપ છે કે, રીયલ એસ્ટેટ બિઝનેસમેન પ્રવિણ રાઉતે પાત્રા ચોલમાં રહેલા લોકો સાથે છેતરપીંડી કરી. એક કંસ્ટ્રક્શન કંપનીને આ ભૂખંડ પર 3000 ફ્લેટ બનાવાનું કામ મળ્યું હતું. તેમાં 672 ફ્લેટ પહેલાથી અહીં રહેતા લોકોને આપવાના હતા. બાકીના એમએચએડીએ અને તે કંપનીને આપવાના હતા. પણ વર્ષ 2011માં આ વિશાળ ભૂખંડમાંથી અમુક ભાગ બીજા બિલ્ડરોને વેચી દેવામા આવ્યા હતા.