કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની ઈડીની પૂછપરછને લઈને એક ખુલાસો કર્યો છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની પૂછપરછ
ઈડીના અધિકારીઓની પૂછપરછ પર રાહુલનો ખુલાસો
ઈડીના અધિકારીઓએ મારી તાકાતનું રહસ્ય પૂછ્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે, તેમની પૂછપરછ કરી રહેલા ઈડીના અધિકારીઓએ પૂછ્યું કે, તેઓ એક નાના રૂમમાં આટલા લાંબા સમય સુધી કેવી રીતે થાક્યા વગર બેસી શકે છે.
કોંગ્રેસ કાર્યકરોને સંબોધિત કરતા કરી આવી વાત
કોંગ્રેસ કાર્યાલયમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે, "મને થોડા દિવસ પહેલા ઈડીની ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો. એક નાનો ઓરડો હતો, ટેબલ પર કમ્પ્યુટર હતું અને ત્યાં 3 અધિકારીઓ હતા. હું ખુરશી પરથી ખસ્યો નહીં, અધિકારીઓ આવતા-જતા રહ્યા. રાત્રે સાડા દસ વાગ્યે ઑફિસરે મને કહ્યું, "અગિયાર કલાકમાં અમે થાકી ગયા છીએ પણ તમે થાકતા નથી!" શું છે રાજ? મેં કહ્યું કે વિપશ્યનાની આદત પડી ગઈ. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે પરંતુ સત્ય એ છે કે રૂમમાં રાહુલ ગાંધી એકલા નહોતા, કોંગ્રેસના દરેક નેતા અને કાર્યકર્તા તે રૂમમાં બેઠા હતા. તમે એક નેતાની પજવણી કરી શકો પરંતુ લાખો કાર્યકરોની નહીં.
ED and such agencies don't affect me, even the officers who interrogated me understood that a leader of the Congress party can't be scared and suppressed: Congress leader Rahul Gandhi pic.twitter.com/950v7fBxpj
ઈડીએ પૂછ્યું- આટલી ધીરજ કેવી રીતે રાખી શકો છો
રાહુલે પોતાની પૂછપરછને લઈને વધુમાં કહ્યું કે છેલ્લા દિવસે, ઇડીના અધિકારીઓને પૂછવામાં આવ્યું હતું કે તમે આટલી ધીરજ કેવી રીતે રાખી શકો છો. ત્યારે મેં કોઈ જવાબ આપ્યો નહોતો. હું 2004થી કોંગ્રેસમાં કામ કરી રહ્યો છું, આપણાથી વધુ ધીરજ કોનામાં સારી છે? રાહુલે "ધૈર્ય" નો ઉલ્લેખ કરતા કહ્યું, "સચિન પાયલટ અહીં બેઠા છે, સિદ્ધારમૈયા બેઠા છે, રણદીપ બેઠા છે!" રાહુલે કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. રાહુલે કહ્યું કે અમને ઈડીથી કોઈ ફરક પડતો નથી. કોંગ્રેસને દબાવી ન શકાય, ધમકાવી શકાય નહીં. સત્યમાં ધીરજની કમી નથી.
5 દિવસ સુધી પૂછપરછ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ 'નેશનલ હેરાલ્ડ' અખબાર સાથે સંકળાયેલા કથિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં મંગળવારે પાંચમા દિવસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની 11 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી, અને તપાસ એજન્સીએ ગાંધીને કોઈ નવું સમન્સ જારી કર્યું નથી અને એવું માનવામાં આવે છે કે તેમની પૂછપરછ ઓછામાં ઓછા થોડા સમય માટે સમાપ્ત થઈ ગઈ છે. રાહુલ ગાંધીની અત્યાર સુધીમાં પાંચ દિવસમાં 54 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી છે, આ દરમિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.