એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ મામલે દિલ્હી અને કલકત્તા સહિત 12 ઠેકાણા પર દરોડા પાડ્યા છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીના દરોડા
દિલ્હીની ઓફિસમાં રેડ પડી
અલગ અલગ 12 ઠેકાણા પર દરોડા પાડ્યા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ મામલે દિલ્હી અને કલકત્તા સહિત 12 ઠેકાણા પર દરોડા પાડ્યા છે. ઈડીએ દિલ્હીમાં આવેલ નેશનલ હેરાલ્ડની ઓફિસમાં દરોડા પાડ્યા છે.
ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં હાલમાં જ સોનિયા ગાંધી સાથે પૂછપરછ કરી હતી. એટલુ જ નહીં આ અગાઉ રાહુલ ગાંધી સાથે પણ આ મામલે પૂછપરછ થઈ ચુકી છે. આ બાજૂ કોંગ્રેસે ઈડીની કાર્યવાહી વિરુદ્ધ દેશભરમાં સત્યાગ્રહ કર્યો છે.
Delhi | ED raids are underway at multiple locations in Delhi pertaining to alleged National Herald money laundering case pic.twitter.com/fUmD1YxI9a
કહેવાય છે કે, નેશનલ હેરાલ્ડ ઓફિસમાં સિક્યોરિટી ગાર્ડ સિવાય કોઈ હાજર નહોતું. આ બાજૂ કોંગ્રેસ સાંસદ ઉત્તર રેડ્ડીએ ઈડીના દરોડાને લઈને કહ્યું કે, આ ચોંકાવનારુ છે, આ રાજકીય પ્રતિશોધ સિવાય અન્ય કંઈ નથી.
શું છે નેશનલ હેરાલ્ડ કેસ
નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપ છે કે, નેશનલ હેરાલ્ડ, AJL (એસોસિએટિડ જર્નલ લિમિટેડ) અને યંગ ઈંડિયન પ્રાઈવેટ લિમિટેડની વચ્ચે નાણાકીય ગડબડ થઈ હતી. નેશનલ હેરાલ્ડ અખબાર હતું. જેને જવાહર લાલ નહેરુએ 500 સ્વતંત્રતા સેનાનીઓની સાથે મળીને શરૂ કર્યું હતું. તેમાં બ્રિટિશના અત્યાચારો વિશે લખવામાં આવતું હતું.
તો વળી Associated Journals Limited એક પબ્લિશર હતું. તે 20 નવેમ્બર 1937ના રોજ અસ્તિત્વમાં આવ્યું. તે સમયે આ ત્રણ અખબારોને પ્રકાશિત કરતું હતું. તેમાં નેશનલ હેરાલ્ડ (અંગ્રેજી), નવજીવન (હિન્દી) અને કૌમી આવાઝ (ઉર્દૂ) સામેલ હતું.
બાદમાં 1960 પછી AJL નાણાકીય સમસ્યાઓથી ઝઝૂમવા લાગ્યું. તેના પર કોંગ્રેસ પાર્ટી મદદ માટે આગળ આવી અને એજીએલને વ્યાજ વગર લોન આપી દીધી. બાદમાં એપ્રિલ 2008માં AJLએ અખબારનું પ્રકાશન બંધ કરી દીધું અને પછી 2010માં જાણવા મળ્યું કે, AJLને કોંગ્રેસ પાર્ટીનું 90.21 કરોડ રૂપિયા દેવું ચુકવવાનું છે.
આ તમામની વચ્ચે 2010માં જ 23 નવેમ્બરે Young Indian Private Limited નામથી કંપની બને છે. તેમાં બે પાર્ટનર હોય છે. પહેલો સુમન દુબે અને બીજા સામ પિત્રોડા. આ કંપનીને નોન પ્રોફિટ કંપની બતાવીને રજિસ્ટર કરવામાં આવી હતી. બાદમાં આગામી મહિને ડિસેમ્બરની 13મી તારીખે રાહુલ ગાંધી આ કંપનીમાં ડાયરેક્ટર બની જાય છે. થોડા દિવસ બાદ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ AJLના તમામ દેવા યંગ ઈંડિયાને ટ્રાંસફર કરવા પર સહમતી જતાવી.
ત્યાર બાદ જાન્યુઆરી 2011માં સોનિયા ગાંધીએ યંગ ઈંડિયાના ડાયરેક્ટરનો પદભાર ગ્રહણ કર્યો. તે સમય સુી સોનિયા અને રાહુલ ગાંધીએ યંગ ઈંડિયાના 36 ટકા શેર પર કંટ્રોલ કરી લીધું હતું. બાદમાં કાયદાકીય અડચણો આવવાની શરૂ થઈ અને આગામી મહિને યંગ ઈંડિયાએ કલકત્તા સ્થિત આરપીજી ગ્રુપના સ્વામિત્વવાળી કંપની ડોટેક્સ મર્ચેંડાઈઝ પ્રાઈવેટ લિમિટેડથી 1 કરોડ રૂપિયાની લોન લીધી. ડોટેક્સ મર્ચેંડાઈઝ પ્રાઈવેટ લિમિટેડને હવે એક નકલી કંપની બતાવામાં આવી રહી છે. તેના થોડા દિવસો બાદ જ AJLના પુરા શેર હોલ્ડર YIને 90 કરોડ AJLના દેવાની અવેજમાં ટ્રાંસફર કરી દેવામાં આવ્યા.
ઈન્કમ ટેક્સ વિભાગનો આરોપ છે કે, ગાંધી પરિવારના માલિકીવાળી યંગ ઈંડિયાએ AJLની પ્રોપર્ટી જેની કિંમત 800 કરોડથી 2 હજાર કરોડની વચ્ચે છે, તેના પર ફક્ત 50 લાખ રૂપિયા આપીને હક મેળવી લીધો અને કબ્જો કરી લીધો. જો કે, કોંગ્રેસનું કહેવુ છે કે, યંગ ઈંડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપની એક્ટના સેક્શન 25 અંતર્ગત રજીસ્ટર છે.