સંજય રાઉતના ભાઈનું પણ નિવેદન સામે આવ્યું હતું કે, જે પેકેટમાં તેમને પૈસા મળ્યા તે પેકેટમાં અયોધ્યા અને એકનાથ શિંદે માટે આ રીતે લખવામાં આવ્યું હતું.
સંજય રાઉતનાં ઘરેથી ED ને મળ્યા 11.5 લાખ રૂપિયા
રાઉતનાં ભાઈએ કહ્યું કે, આ પૈસા તો અયોધ્યા માટે રાખ્યા હતા
શિવસેનાના નેતાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
શિવસેના નેતા સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રવિવારે મોડી રાત્રે અટકાયત કરી હોવાનું સમએ આવ્યું હતું. તો વળી મોડી સાંજે ED સૂત્રોએ દાવો કર્યો હતો કે, રાઉતના ઘરેથી 11.5 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ મળી આવી હતી. આ તરફ હવે સંજય રાઉતના ભાઈનું પણ નિવેદન સામે આવ્યું હતું કે, જે પેકેટમાં તેમને પૈસા મળ્યા તે પેકેટમાં અયોધ્યા અને એકનાથ શિંદે માટે આ રીતે લખવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રમાં શિવસેના નેતા સંજય રાઉત સામે મુંબઈ પોલીસે રવિવારે અલગથી પાત્રા ચાલ કેસમાં EDની સાક્ષી સ્વપ્ના પાટકરને કથિત રીતે ડરાવવા બદલ FIR નોંધી છે. FIR રાઉત અને પાટકર વચ્ચેની કથિત વાતચીતના ઓડિયો રેકોર્ડિંગ પર આધારિત છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 504, 504 અને 509 હેઠળ વાકોલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પાટકરે રાઉત પર તેમને ડરાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
Mumbai | Sanjay Raut has been arrested. BJP is afraid of him and got him arrested. They haven't given us any document (regarding his arrest). He has been framed. He will be produced in court tomorrow at 11.30am: Sunil Raut, Sanjay Raut's brother pic.twitter.com/1XXJoE3KCQ
સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતે કહ્યું છે, કે જે પરબીડિયામાં રોકડ મળી હતી તેના પર એકનાથ શિંદેનું નામ લખેલું હતું. સુનીલ રાઉતે પત્રકારોના સવાલોના જવાબ આપતા કહ્યું કે, મેં 10 લાખ રૂપિયા વિશે સ્પષ્ટતા કરી છે કે, જે પેકેટમાં તેમને પૈસા મળ્યા તે પેકેટમાં અયોધ્યા અને એકનાથ શિંદે માટે આ રીતે લખવામાં આવ્યું હતું... મતલબ કે તે પૈસા અયોધ્યા માટે હતા.
શિવસેનાના નેતાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
મોડી રાત્રે સંજય રાઉતની 9 કલાકની પૂછપરછ બાદ ED દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેમને આજે સવારે 11.30 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં એજન્સી તેની કસ્ટડી માંગશે. EDએ રવિવારે રાઉતના ભાંડુપના નિવાસસ્થાને નવ કલાકથી વધુ સમય સુધી શોધખોળ કરી હતી અને પછી મુંબઈના ઉત્તરીય ઉપનગરમાં ચાલ પ્રોજેક્ટના પુનર્વિકાસ સંબંધિત કથિત મની લોન્ડરિંગના કેસમાં પૂછપરછ માટે તેની અટકાયત કરી હતી.