મહારાષ્ટ્રમાં શિવસેના-NCP-કોંગ્રેસ ગઠબંધનની આજે સરકાર બનવા જઇ રહી છે. ઉદ્ધવ ઠાકરેના નવા મંત્રીમંડળમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ પણ આજરોજ શપથ લેશે. પરંતુ મંત્રી પદની શપથ પહેલા અશોક ચૌહાણની મુશ્કેલીમાં વધારો થયો છે.
ED એ આદર્શ સોસાયટી કૌભાંડની તપાસ ફરી શરૂ કરી
અશોક ચવ્હાણને આપવું પડ્યું હતુ રાજીનામુ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણને જે આદર્શ સોસાયટીને લઇને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું તેને લઇને ફરી મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ પ્રવર્તન નિદેશાલય (ED) એ આદર્શ સોસાયટી કૌભાંડની તપાસ ફરી શરી કરી દીધી છે. બુધવારના રોજ કોલાબા ખાતે આદર્શ સોસાટીમાં ED ની ટીમ પહોંચી અને તપાસ શરૂ કરી દીધી છે.