મણિપુરના ઇમ્ફાલમાં IED બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટમાં એક નાગરિક અને ચાર પોલીસ જવાન ઘાયલ થયા છે. અકસ્માત બાદ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત ઇમ્ફાલના થંગલ માર્કેટમાં થયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.
મણિપુરના ઇમ્ફાલમાં IED બ્લાસ્ટ
એક નાગરિક અને ચાર પોલીસ જવાન ઘાયલ
પોલીસે હાથ ધરી તપાસ
મંગળવારે સવારે બ્લાસ્ટ થયો હતો. હુમલા બાદ પોલીસે આખો વિસ્તાર ખાલી કરાવી દીધો છે. આ સાથે હુમલો કરનારાઓની શોધ પણ સઘન કરી દેવામાં આવી છે. સ્થાનિક સૂત્રોનું માનીએ તો આ હુમલો સેનાના જવાનોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. જો કે તેમાં એક સામાન્ય નાગરિક પણ ઘાયલ થયો હતો.
પોલીસે કેસ નોંધી આદરી શોધખોળ
પોલીસે કેસ નોંધીને હુમલો કરનારાઓની શોધખોળ હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે, અગાઉ ભારતીય સૈન્યના પૂર્વી કમાન્ડને મોટી સફળતા મળી હતી. જેમાં અસમ રાઇફલ્સના જવાન અને મણિપુર પોલીસે બે અલગ અલગ અભિયાનમાં એક હથિયાર તસ્કરને પકડ્યો હતો અને 13 ઓક્ટોબરના રોજ મણિપુરના ઇમ્ફાલ પૂર્વ, કાલાખોંગ, થોબલ અને ચિનંગ પાસેથી હથિયાર અને યુદ્વ સામગ્રી જપ્ત કરી હતી.
Manipur: 4 policemen and 1 civilian injured in an IED (Improvised explosive device) blast at Thangal Bazar in Imphal. Injured have been taken to hospital. pic.twitter.com/MEg2jCdA2A
આ સમગ્ર મામલે જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનેંટ જનરલ રણબીર સિંહે જણાવ્યું હતું કે, પાકિસ્તાન શસ્ત્રો મોકલવા માટે ઘણી યુક્તિઓ અપનાવી રહ્યું છે. જો કે, નિયંત્રણ રેખા સાથે તૈનાત સૈન્યની કાઉન્ટર-ઘુસણખોરી ગ્રીડ ખૂબ મજબૂત છે અને આવા કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે સતર્ક છે.