મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની ધરપકડ બાદ રાજકીય ગરમાવો વધ્યો. ભાજપે કરી રાજીનામાની માગ તો શિવસેના-NCPએ રાજીનામાનો કર્યો ઇન્કાર
મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિકની ધરપકડનો મામલો
જૂના કેસ પર નવો કાયદો લાગુ ન પડે- નવાબના વકીલ
3 માર્ચ સુધી રિમાન્ડ પર નવાબ મલિક
મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની EDએ ધરપકડ કરી છે. આ મામલે મલિકના વકીલે કહ્યું કે પાવર ઓફ એટર્ની 23 વર્ષ પહેલા થઇ હતી અને જમીન 19 વર્ષ પહેલા ખરીદી હતી. તે વખતે મની લોન્ડરિંગ એક્ટ નહોતો. આથી ક્રિમિનલ કેસોમાં કાયદો પાછલી અસરથી લાગુ કરી શકાતો નથી મહત્વનું છે કે EDએ બુધવારે કોર્ટમાં કહ્યું કે, હસીના દાઉદનો બિઝનેસ સંભાળતી હતી. પાવર ઓફ એટર્નીના આધારે હસીનાએ મલિકને 55 લાખ રૂપિયામાં મિલકતના અધિકારો વેચી દીધા. જ્યારે તેની બજાર કિંમત 3.3 કરોડ હતી. વિશેષ અદાલતમાં EDએ મલિક પર ટેરર ફંડિંગનો પણ આરોપ લગાવ્યો છે.
6 કલાકની પૂછપરછ બાદ ધરપકડ
બુધવારે સવારે 6 વાગ્યે EDની ટીમ નવાબ મલિકના ઘરે પહોંચી હતી. પૂછપરછ કર્યા બાદ તેને રાત્રે આઠ વાગે ઈડી ઓફિસ લઈ જવામાં આવ્યો હતો. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં 6 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. વિશેષ અદાલતે 62 વર્ષીય મલિકને 3 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધો છે.
પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે 4 મહિના પહેલા મલિક પર આ જ કેસનો આરોપ લગાવ્યો હતો. આ મામલે ભાજપે મલિકનું રાજીનામું માંગ્યું છે, જ્યારે એનસીપી-શિવસેનાએ તેનો ઇનકાર કર્યો છે. મહત્વનું છે કે ડ્રગ્સ કેસમાં તત્કાલિન NCB અધિકારી સમીર વાનખેડેની કાર્યવાહી બાદ નવાબ મલિકે તેનો સખત વિરોધ કર્યો હતો.
— Shilpa Bodkhe - प्रा.शिल्पा बोडखे (@BodkheShilpa) February 23, 2022
પવારના નજીકના મંત્રીઓ, ઉદ્ધવ નિશાના પર
મહારાષ્ટ્રમાં એનસીપી ચીફ શરદ પવારથી લઈને ઈડીના નિશાના પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નજીકના મંત્રીઓ પણ છે. માર્ચ 2016 માં EDએ મહારાષ્ટ્ર સદન નિર્માણમાં 100 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં NCP નેતા છગન ભુજબળની ધરપકડ કરી હતી. તેણે બે વર્ષ જેલમાં પસાર કરવા પડ્યા. હાલ તેઓ મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રી છે. ગયા વર્ષે નવેમ્બરમાં EDએ NCP નેતા અનિલ દેશમુખની ધરપકડ કરી હતી. તેઓ પર બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજે દ્વારા 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે.
સહકારી બેંક કૌભાંડમાં EDએ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના સંબંધીની સુગર મિલની સંપત્તિ જપ્ત કરી છે. ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની ફરિયાદ બાદ EDએ ઓગસ્ટ 2021માં શિવસેનાના સાંસદ ભાવના ગવળીની પાંચ શૈક્ષણિક સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા. વર્ષ 2019 EDએ શરદ પવારને નોટિસ મોકલી હતી.
EDએ મુખ્ય પ્રધાન ઠાકરેના નજીકના સાથી એવા પરિવહન પ્રધાન અનિલ પરબને પણ પૂછપરછ માટે નોટિસ મોકલી છે. તેના પર પોલીસની મદદથી છેડતીનો આરોપ છે. EDએ 4300 કરોડના PMC બેંક કૌભાંડમાં સંજય રાઉતની પત્ની વર્ષાને નોટિસ મોકલી છે.
શું છે મામલો
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ દેશમાં હિંસા ફેલાવાની તૈયારી કરી રહ્યું છે અને તેના માટે તેણે એક સ્પેશિયલ યુનિટ પણ બનાવી રાખી છે, જેના માધ્યમથી તે દેશના કોઈ મોટા નેતા અથવા વેપારી પર જીવલેણ હુમલો કરવાની તૈયારી પણ કરી રહ્યા છે. આ જાણકારીના આધારે નેશનલ ઈન્વેસ્ટેીગેશન એજન્સીએ દાઉદ અને તેના નજીકના લોકો વિરુદ્ધ મામલો નોંધાવ્યો છે.