રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ભરતીનો મામલો સીએમ રૂપાણી સુધી પહોંચ્યો છે. ઊંઝા APMC બાદ રાજકોટ દૂધ ઉત્પાદન સંઘમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. સંઘની ભરતીમાં સગાવાદ ચાલતો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
ભરતીમાં ભ્રષ્ટાચારનો મામલો CM રૂપાણી સુધી પહોંચ્યો
250 કર્મચારીઓની જગ્યાએ 450 કર્મચારીઓની ભરતી
સગાવાદ અને રૂપિયાના વહીવટથી સહકારી જગતમાં ભારે ચર્ચા
સમગ્ર મામલે ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદ રાણપરિયા સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. રાણપરિયાએ મળતિયાઓની ભરતી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જરૂર કરતા વધારે પદો માટે ભરતી કરી નાખવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ડેરીમાં 250 કર્મચારીઓની જરૂરિયાત સામે 450ની ભરતી કરવામાં આવી છે. અને ભરતી માટે 20 લાખ રૂપિયા લેવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં રાણપરિયાના ગામના જ 28 લોકોની ભરતી થઈ હોવાનો આરોપ છે.
VTV ન્યૂઝના અહેવાલ બાદ જિલ્લા પશુપાલકોમાં કરોડોનો બોજો નાખી પશુપાલકો સાથે છેતરપિંડી કરી હોવાનો ગણગણાટ શરૂ થઇ ગયો છે. ગોવિંદ રાણપરિયા 17 વર્ષથી ડેરીના ચેરમેન છે. ત્યારે ગોવિંદ રાણપરિયાની મનમાની સામે બીજા ડિરેક્ટરોનું પણ ભેદી મૌન છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે કૌભાંડ મુદ્દે સત્તાધીશો હજી કેમ ચૂપ છે?. જિલ્લા રજિસ્ટાર ટી.સી.તીર્થરાણી પણ કૌભાંડ મુદ્દે ચૂપ કેમ?. રજિસ્ટાર તીર્થરાણી કેમ તટસ્થ તપાસ નથી કરાવતા?. તીર્થરાણી કેમ જવાબદારીથી દૂર ભાગી રહ્યાં છે?. વધારાની ભરતી કરી ડેરી પર કરોડોનો બોજો કેમ નાખ્યો?. સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ કેમ તપાસ નથી કરાવી રહ્યાં?. જિલ્લા રજિસ્ટાર અને કલેક્ટરને રજૂઆત છતાં કેમ તપાસ નહી?. અન્ય ડિરેક્ટરો નૈતિકતા દાખવી કેમ સામે ન આવ્યા?.
સળગતા સવાલ
કૌભાંડ મુદ્દે સત્તાધીશો હજી કેમ ચૂપ છે?
જિલ્લા રજિસ્ટાર ટી.સી.તીર્થરાણી પણ કૌભાંડ મુદ્દે ચૂપ કેમ?
રજિસ્ટાર તીર્થરાણી કેમ તટસ્થ તપાસ નથી કરાવતા?
તીર્થરાણી કેમ જવાબદારીથી દૂર ભાગી રહ્યાં છે?
વધારાની ભરતી કરી ડેરી પર કરોડોનો બોજો કેમ નાખ્યો?
સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ કેમ તપાસ નથી કરાવી રહ્યાં?
જિલ્લા રજિસ્ટાર અને કલેક્ટરને રજૂઆત છતાં કેમ તપાસ નહી?