કેન્દ્રની મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થઇ ચૂક્યા છે. આ દરમિયાન આર્થિક મોરચે મોદી સરકારના બીજા કાર્યકાળે અત્યાર સુધીમાં નિરાશ કર્યા છે. ત્યારે મોદી સરકારના કાર્યકાળના પહેલા 100 દિવસમાં રોકાણકારોના લગભગ 14 લાખ કરોડ રૂપિયા ડૂબી ચૂક્યા છે.
રોકાણકાર શેયર બજારથી પૈસા નીકાળી રહ્યા છે. સાથે જ નવા રોકાણકારો પૈસા લગાવવાથી અચકાઇ રહ્યા છે. દેશની અર્થવ્યવસ્થામાં રોકાણકારોનો વિશ્વાસ જગાવવા માટે સરકાર દ્વારા ઘણા પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. થોડાક દિવસો પહેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થામાં તેજી લાવવા ના ઉદ્દેશ્યથી ઘણા એલાન કર્યા છે. પરંતુ હજુ સુધી તેની અસર અર્થવ્યવસ્થા પર દેખાઇ રહી નથી.
જોકે, એક્સપર્ટસનું માનવું છે કે, અર્થવ્યવસ્થામાં આવેલ સુસ્તી ચક્રીય છે અને ઇકોનોમીને તેમાંથી બહાર આવતા થોડી વાર લાગશે. રોકાણકારોએ વૈશ્વિક પરિદ્રશ્ય જોતા થોડુ ધીરજ રાખવાની જરૂર છે.
ઇકોનોમિક ટાઇમ્સની એક રિપોર્ટ અનુસાર, મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન BSE પર માત્ર 14 ટકા શેયરો એ જ પોઝિટિવ રિટર્ન આપ્યું છે. સમાચાર અનુસાર, બીએસઇમાં 2664 એક્ટિવ ટ્રેડ સ્ટોકમાંથી 2290 સ્ટોકના મૂલ્યમાં ભારે ઘડાટો નોંધાયો છે.
આંકડા મુજબ, તેમાથી 422 સ્ટોકની કિમંત 40 ટકા, 1371 સ્ટોકની કિમંત 20 ટકા અને 1872 સ્ટોકની કિમંત 10 ટકા ઘટી ગઇ છે. કુલ માર્કેટ વેલ્યૂના હિસાબે જોવામાં આવે તો, બીએસઇ લિસ્ટેડ સ્ટોકની કિમંત 14.15 લાખ કરોડ રૂપિયાથી લઇને 140 લાખ કરોડ રૂપિયા સુધી ઘટી ગઇ છે.