મોદી સરકારની તમામ કોશિશો છતા દેશના જીડીપી ગ્રોથ રેટ પર કોઇ ખાસ અસર દેખાઇ રહી નથી. ભારતીય સ્ટેટ બેન્ક (SBI) ના અર્થશાસ્ત્રીઓએ અનુમાન દર્શાવ્યું છે કે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ 4.5 ટકા પર સ્થિર રહેશે. ચાલૂ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના જીડીપી ગ્રોથના આંકડા આ સપ્તાહે શુક્રવારે જારી કરવામાં આવી શકે છે.
મોદી સરકારની તમામ કોશિશો છતા દેશના જીડીપી ગ્રોથ રેટમાં કોઇ અસર નહીં
ભારતીય સ્ટેટ બેન્ક (SBI) ના અર્થશાસ્ત્રીઓએ જીડીપી ગ્રોથનું અનુમાન દર્શાવ્યું
ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ 4.5 ટકા પર સ્થિર રહેશે
શું કહ્યું SBIના અર્થશાસ્ત્રીઓએ?
એસબીઆઇના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે દેશ સમક્ષ આર્થિક રૂપે કોરોના વાયરસથી પ્રભાવિત થવાનું જોખમ છે. તેનું કારણ વિભિન્ન વસ્તુઓ માટે ચીનથી આયાત પર મોટી નિર્ભરતા છે. અર્થશાસ્ત્રીઓ મુજબ સમગ્ર મુખ્ય સંકેત બતાવે છે કે ગ્રોથ રેટ ગત ત્રિમાસિક ગાળામાં 4.5 ટકાના સમાન સ્થિર રહેશે. તેમા 33 વિભિન્ન સંકેતો દ્વારા પ્રાપ્ત જાણકારીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
કોરોના વાયરસના મામલે એસબીઆઇના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે દવા સહિત અન્ય ક્ષેત્રોમાં સપ્લાય ચેઇનથી આર્થિક પ્રભાવ પડવાની આશંકા છે. અર્થશાસ્ત્રીઓ અનુસાર હોંગકોંગને કપાસ અને હીરા જેવી ચીજવસ્તુઓની સીધી નિકાસ અને વાહનોના ભાગો ઉપરાંત સૌર યોજનાઓ સાથે જોડાયેલા ઉપકરણોની આયાત વાળા ક્ષેત્રો પર અસર પડશે. આટલુ જ નહીં, કોરોના વાયરસ બર્ડથી સંબંધિત નથી છતા પોલ્ટ્રી ઉત્પાદનોના વેચાણ પર પણ અસર પડી છે.
નાણાકીય વર્ષ 2019-20 માટે ગ્રોથ રેટ 4.7 ટકાનું અનુમાન
આ ઉપરાંત એસબીઆઇના અર્થશાસ્ત્રીઓએ નાણાકીય વર્ષ 2019-20 માટે ગ્રોથ રેટના અનુમાનને સંશોધિત કરી 4.7 ટકા કરી દીધો છે. આ પહેલા 4.6 ટકા જીડીપી ગ્રોથ રેટનું અનુમાન દર્શાવાયું હતું. નોંધનીય છે કે, સરકારે વર્ષ 2019-20માં જીડીપી ગ્રોથ રેટ 5 ટકા રહેવાનું અનુમાન બતાવ્યું છે જે 11 વર્ષના લઘુત્તમ સ્તરે છે. તેનુ મુખ્ય કારણ ઘરેલૂ ખર્ચમાં ઘટાડો અને વૈશ્વિક બજારોમાં મંદી છે જેની અસર દેશની નિકાસ પર પડી છે.