કેન્દ્રની મોદી સરકાર અર્થવ્યવસ્થા પરના મોરચે ચોતરફથી ઘેરાતી જોવા મળી રહી છે. એક બાજુ જ્યારે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા મહેનત કરવી પડી રહી છે ત્યારે સહયોગી તેમજ વિપક્ષ દળના નેતાઓ મોદી સરકારની આર્થિક નીતિ પર સવાલ ઉભા કરી રહ્યાં છે. કોંગ્રેસની સાથે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સરકારની નીતિને લઇને નિશાન સાધ્યું છે.
જ્યારે બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ અને દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધીએ અર્થવ્યવસ્થાનો મુદ્દો બનાવી કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. પ્રિયંકા ગાંધીએ GDP વિકાસ દરના આંકડાથી એટલું સ્પષ્ટ છે કે અચ્છે દિન આયેંગે કહેનારી ભાજપની સરકારની અર્થવ્યવસ્થાની સ્થિતિમાં પંચર કરી નાંખ્યું.
GDP विकास दर से साफ है कि अच्छे दिन का भोंपू बजाने वाली भाजपा सरकार ने अर्थव्यवस्था की हालत पंचर कर दी है।
GDP ગ્રોથ પણ નથી અને ડોલર સામે રૂપિયો પણ મજબૂત રહ્યો નથી. જ્યારે દેશમાં યુવાનો સામે રોજગારી પણ ગાયબ છે. પ્રિયંકા ગાંધીએ આકરા પ્રહાર કરતાં કહ્યું કે હવે તો જણાવો કે અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દેવાનું આ કામ કોણે કર્યું ?
મોદી સરકારને ગઇકાલે મોટો ઝટકો લાગ્યો હતો. દેશના વિકાસ દરમાં ઘટાડો નોંધાયો હતો. જે પ્રથમ ત્રિમાસિક (ઍપ્રિલ-જૂન)માં વિકાસ દર ઘટીને 5 ટકા થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનાં કોઈ એક ક્વાર્ટરમાં આ સૌથી ઝડપી ગતિ છે.
અંદાજે 6 વર્ષ પહેલાં યુપીએ સરકારમાં એક ક્વાર્ટરમાં જીડીપીનાં આંકડા કોઈ પણ એક સ્તરે પહોંચ્યા હતાં. જે વાર્ષિક આધાર પર સરખામણી કરીએ તો લગભગ 3 ટકાનો ઘટાડો છે. એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં જીડીપીનો રેટ 8 ટકા હતો.
સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર પર સાધ્યું નિશાન
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નવી આર્થિક નીતિ પર સવાલ ઉઠાવતાં પાંચ ટ્રિલિયન અર્થવ્યવસ્થાના લક્ષ્યને મુશ્કેલ બતાવ્યો છે. સંસદમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતાં દેશની સામે પાંચ ટ્રિલિયન અર્થવ્યસ્થાનું લક્ષ્યાંક રાખ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે આપણે બધા મળીને કામ કરીશું તો આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. આ લક્ષ્ય પર ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટવિટ કરી તેને ગુડબાય કહેવા તૈયાર રહેવા જણાવ્યું છે.