કોરોના મહામારી અને લોકડાઉનના ઝટકાથી ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાંથી બહાર આવવાનું મુશ્કેલ બન્યું છે. એસબીઆઈએ મંગળવારે જાહેર કરેલા રિપોર્ટમાં કહેવાયું છે કે પહેલા 3 મહિનાના વિકાસ દરમાં આવેલો મોટો ઘટાડો આવનારા સમયમાં પણ ચાલુ રહેશે અને સાથે જ 2020-21માં જીડીપીનો વાસ્તવિક વૃદ્ધિદર 0-10.9 ટકાથી પણ નીચે રહેવાનું અનુમાન છે.
કોરોના મહામારીમાં અર્થવ્યવસ્થાને મોટો ઝટકો
2020-21ની અર્થવ્યવસ્થાને લઈને આવ્યું મોટું અનુમાન
GDPનો વાસ્તવિક વૃદ્ધિદર 0-10.9 ટકાથી પણ નીચે રહેશે
સરકારે સોમવારે GDPના આંકડા જાહેર કર્યા હતા. પહેલા ત્રિમાસિકમાં વિકાસ દર શૂન્યથી 23.9 ટકા નીચે રહ્યો છે. તેના પહેલા ઈકોરેપ રિપોર્ટમાં ચાલુ નાણાંકીય વર્ષના માટે વિકાસ દરમાં (-)6.8 ટકાના ઘટાડાનું અનુમાન હતું. એસબીઆઇના રિસર્ચમાં કહેવાયું છે કે શરૂઆતી અનુમાન અનુસાર જીડીપી વૃદ્ધિદર દરેક ત્રિમાસિકમાં નકારાત્મક રહેશે. અન્ય ત્રિમાસિક ગાળામાં તે શૂન્યથી 12થી 15 ટકા રહેશે. જ્યારે ત્રીજા ત્રિમાસિકમાં (-)5થી 10 ટકા અને ચોથા ત્રિમાસિકમાં (-)2થી 5 ટકા રહે તેવું અનુમાન છે. આ રીતે જોઈએ તો આખા નાણાંકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી દર (-)10.9 રહી શકે છે.
ખાનગી વપરાશમાં આવશે 14 ટકાનો ઘટાડો
એસબીઆઈ રિસર્ચે કહ્યું કે પહેલા ત્રિમાસિકમાં રેકોર્ડ ઘટાડો આવ્યો છે તેનું મોટું કારણ ખાનગી વપરાશમાં ઘટાડો છે. આને કારણે રોકાણની માંગમાં પણ વધારો થઈ શક્યો નહીં.જીડીપીમાં ખાનગી વપરાશ અને ખર્ચની ભાગીદારી 57 ટકા રહે છે, પરંતુ અત્યારના સંકટના કારણે 2020-21માં તેમાંથી 14 ટકા ઘટાડાનું અનુમાન છે.
ખાનગી વપરાશ અને ખર્ચમાં 26 ટકાનો ઘટાડો થશે
આ પહેલાં પણ 2010-11થી 2019-20 સુધીના 9 વર્ષમાં ખાનગી વપરાશ અને ખર્ચ લગભગ 12 ટકા દરથી વધારે હોય છે. તેનાથી જાહેર થી રહ્યું છે કે આ વર્ષે ખાનગી વપરાશ અને ખર્ચમાં 26 ટકાનો ઘટાડો થશે. આરબીઆઈના ઉધારના આંકડા રાહત આપી રહ્યા છે. તેના અનુસાર જુલાઈમાં ઉદ્યોગ સિવાય અનેક મોટા ક્ષેત્રોમાં ઉધારનો વૃદ્ધિદર વધી રહ્યો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો, કૃષિ અને પર્સનલ લોનની માંગમાં વધારો થયો છે. રિપોર્ટમાં નિર્માણ, વ્યાપાર, હોટલ અને વિમાન ઉદ્યોગમાં સુધારના સૂચન પણ કરાયા છે.
આવનારા 3 ત્રિમાસિકની સ્થિતિ
ત્રિમાસિક વિકાસ દર
બીજા (-)12-15 ટકા
ત્રીજા (-)5-10 ટકા
ચોથા (-)2-5 ટકા