પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં દેશના ટોચના અર્થશાસ્ત્રીઓએ સાર્વજનિક ઉપક્રમોમાં ખાનગીકરણને સંપૂર્ણ સક્રિયતાની સાથે તેજીથી આગળ વધારવા અને ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટમાં રોકાણ વધારવા આગ્રહ કર્યો.
અર્થશાસ્ત્રીઓએ દેશમાં રોકાણકારોનો વિશ્વાસ બનાવી રાખવા માટે સરકારને સલાહી આપી કે તેઓ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કોર્ટના ચુકાદાઓને પડકારવાથી બચવું જોઇએ.
PM મોદીની સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરાયેલ બજટે પહેલાની બેઠકમાં અર્થશાસ્ત્રીઓએ એમ પણ કહ્યું કે સરકારે 2021-22ના આગામી બજેટમાં નાણાંકીય ખાદ્ય માટે ઉદાર વલણ અભિગમ અપનાવો જોઇએ. આ સમયે કોરોનાવાયરસથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા ખર્ચ વધારવો જરુરી છે.
સૂત્રોને મળતી માહિતી અનુસાર આ બાઠકમાં ભાગ લેનાર અર્થશાસ્ત્રીઓએ નિકાસ વધારવા અને રોકાણકારોનો આત્મવિશ્વાસ વધારનારી નીતિઓને અપનાવાનો આગ્રહ કર્યો.
માળખાકીય સુધારા કરવા છતા દેશમા મોટા પ્રમાણમાં રોકાણકારો ન આવ્યાં
અર્થશાસ્ત્રીઓનું કહેવું અલગ-અલગ ક્ષેત્રોમાં ઘણા પ્રકારના માળખાકીય સુધારા છતા મોટા પ્રમાણમાં રોકાણ આવી શક્યું નહીં. બેઠકમાં હાજર રહેલા એક સૂત્ર દ્વારા જણાવામાં આવ્યું કે રોકાણકારોનો વિશ્વાસ વધારવાની જરૂરીયાત છે. સરકારે દરેક વસ્તુને (આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કોર્ટના નિર્ણયોને) પડકારવાથી બચવું જોઇએ.
GDPની સામે ટેક્સની ટકાવારી વધારવા પર પણ જોર
બેઠકમાં ઉપસ્થિત વક્તાઓએ દેશની GDP સમક્ષ ટેક્સની ટકાવારીને વધારવા પર પણ જોર આપ્યું. તેઓએ કહ્યું કે આ સરેરાશ 2008થી ઘટી રહ્યું છે. સરકારે આયાત ડ્યૂટીને તર્કસંગત અને બેંકોનું રીકેપિટલાઇઝેશન પર ધ્યાન આપવું જોઇએ. કેટલાંક વક્તાઓએ જરુરિયાત પડવા પર સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમોને ખાનગીકરણ અને સંપત્તિઓનું વેચાણ માટે અલગ મંત્રાલય બનાવવા માટે પણ સુચન કર્યું.
બેઠકમાં હાજર હતા આ દિગ્ગજો
પીએમ મોદી સાથેની બેઠકમાં અરવિંદ પનગઢિયા, કે વી કામત, રાકેશ મોહન, શંકર, આચાર્ય, શેખર શાહ, અરવિંદ વિરમાની અને અશોક લાહિડી જેવા દિગ્ગજ અર્થશાસ્ત્રીઓની સાથે અન્ય લોકો પણ સામેલ હતા. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સિતારમણ, રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુર, યોજના રાજ્યમંત્રી ઇન્દ્રજીત સિંહ, નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર અને નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત પણ બેઠકમાં ઉપસ્થિત હતા.
2021-22ના બજેટ પહેલા સરકાર અને અર્થશાસ્ત્રીઓ વચ્ચે યોજાઇ બેઠક
આ બેઠક 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા 2021-22ના આમ બજેટ પહેલા કરવામાં આવી છે. જેના કારણે આ ઘણી મહત્વપૂર્ણ બેઠક હતી. આ બેઠકમાં આપવામાં આવેલા સૂચનો આગામી બજેટમાં સામેલ કરવામાં આવી શકે છે.