દેશમાં કરદાતાની સંખ્યા વધારવા માટે સરકારને કેટલાય પ્રકારના સૂચનો મળી રહ્યા છે. ત્યારે જો કોઇ વ્યક્તિ વધારે ટેક્સ ચૂકવે છે તો તેના નામથી રસ્તો અથવા ટ્રેન ચલાવવામાં આવી શકે છે. આ પ્રકારનું સૂચન કૃષ્ણમૂર્તિએ સરકારને કરેલ.
મળે VIP જેવી સુવિધાઓ
સૂચન આપવામાં આવ્યા છે કે, દેશના 10 ટોર કરદાતોને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવશે, સર્વેક્ષણ મુજબ જિલ્લાના ટોપ-10 કરદાતાઓનું સન્માન કરવામાં આવે જેથી અન્ય લોકોને પણ ટેક્સ જમા કરાવવા ઉત્સાહ આવી જાય.
પ્રત્યેક જિલ્લાના 10 લોકો મળે ભેટ
જો તમે તમારા જિલ્લાનમાં એક વર્ષમાં સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ બનો છો તો તમને એરપોર્ટ પર એક્સક્લુઝિવ બોર્ડિગ, ટોલ ગેટ પર અલગ લેન તથા અન્ય સુવિધાઓ મળી શકે છે.
10 વર્ષ સુધી રહેવા પર
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઇ વ્યક્તિ સતત 10 વર્ષ સુધી સૌથી વધારે ટેક્સ જમા કરે છે તો તેના નામ પર મહત્વપૂર્ણ ઇમારત, સ્મારક, રસ્તો, ટ્રેન, યોજના, સ્કૂલ, વિશ્વ વિદ્યાલય, હોસ્પિટલ તથા એરપોર્ટનું નામકરણ કરવામાં આવી શકે છે.
થવું જોઇએ સન્માન
સર્વેનું માનવું છે કે, આવા લોકોનું સામાજિક જીવન સરકાર તરફથી સન્માનજનક રહેવું જોઇએ. તેના માટે એક ખાસ પ્રકારની ક્બલનું નિર્માણ થવું જોઇએ. કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર અનુપાલન સંસ્કૃતિને આગળ વધારવા માટે ઇમાનદાર કરદાતાઓન પુરસ્કૃત તથા સન્માનિત કરવા માટે એક પ્રોત્સાહન કાર્યક્રમ શરુ કરવાનું વિચારી રહી છે.