રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ લોકસભામાં આર્થિક સર્વે રજૂ થઈ ચુક્યો છે.નાણામંત્રીએ અર્થવ્યવસ્થા પર કેવી કેવી અસર છે તેને લઈને આર્થિક સર્વે રજૂ કર્યો છે.
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ ગયું
રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ નાણામંત્રીએ રજૂ કર્યો આર્થિક સર્વે
DGP ગ્રોથ અનુમાન આટલો રહેવાની શક્યતા
આજે સંસદના બજેટ સત્રની શરૂઆત થઈ ચુકી છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણની સાથે તેનો પ્રારંભ થઈ ચુક્યો છે. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ લોકસભામાં આર્થિક સર્વે રજૂ થઈ ચુક્યો છે. આર્થિક સર્વેમાં હાલના નાણાકીય વર્ષમાં સરકારના કામકાજની અર્થવ્યવસ્થા પર શું અસર થઈ છે, તેનું રિપોર્ટ કાર્ડ હોય છે.
નાણામંત્રીએ રજૂ કર્યું આર્થિક સર્વેક્ષણ
નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ થયાના એક દિવસ પહેલા એટલે કે, આજે આર્થિક સર્વે રજૂ કરી ચુક્યા છે. આજે બપોરે 3 કલાકને 45 મીનિટ પર મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન એક પ્રેસ કોન્ફ્રેંરન્સને સંબોધન કરશે, જેમાં આર્થિક સર્વેના મુખ્ય બિંદુઓનું વિવરણ શેર કરવામાં આવશે. કાલે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2022-23 રજૂ કરશે.
નાણાકીય વર્ષ 2021-22માં દેશનો રિયલ જીડીપી ગ્રોથનું અનુમાન 9.2 ટકા પર રાખવામાં આવ્યું છે. જે આરબીઆઈના 9.5 ટકાના અનુમાનથી ઓછું છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2022-23 માટે દેશની અર્થવ્યવસ્થાના 8-8.5 ટકાના દરથી જીડીપી ગ્રોથ પ્રાપ્ત કરવાનું અનુમાન છે.
કૃષિ ઈંડસ્ટ્રીયલ અને સર્વિસ સેક્ટરના ગ્રોથનું અનુમાન
નાણાકીય વર્ષ 2021-22માં કૃષિ સેક્ટરના ગ્રોથનું અનુમાન 3.9 ટકા પર રાખવામા આવ્યું છે. આ ઉપરાંત ઈંડસ્ટ્રિયલ સેક્ટરમાં 11.8 ટકાના ગ્રોથનું અનુમાન રાખવામાં આવ્યું છે. તો વળી સર્વિસ સેક્ટરના ગ્રોથનું અનુમાન 8.2 ટકા રાખવામા આવ્યું છે.
શું છે આર્થિક સર્વેક્ષણ
દેશની અર્થવ્યવસ્થાનું પ્રદર્શન ચાલૂ નાણાકીય વર્ષમાં કેવું રહેશે, તેનું આખું રિપોર્ટ કાર્ડ એક રીતે આર્થિક સર્વેમાં હોય છે. આગામી નાણાકીય વર્ષમાં સરકાર તરફથી વિકાસ દરને લઈને શું રણનીતિ રહેવાની છે, તેને લઈને પણ આર્થિક સર્વેમાં આખો રોડમેપ હોય છે. અર્થવસ્થાના દરેક સેક્ટરમાં કેવુ પ્રદર્શન રહ્યું અને આગળ કેવું રહેવાનું અનુમાન છે, એ પણ આર્થિક સર્વેમાં જ બતાવાય છે.