આર્થિક સર્વેક્ષણ કહે છે કે 2017-18ની તુલનામાં 2020-21માં સ્વરોજગારોની ભાગેદારીમાં વધારો થયો છે અને નિયમિત વેતનભોગી શ્રમિકો એટલે કે નોકરી કરનારાઓની ભાગેદારીમાં ઘટાડો થયો છે.
કેન્દ્ર સરકારે આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું
સ્વરોજગારોની ભાગેદારીમાં વધારો
મહિલા રોજગારીમાં નોંધનીય વધારો
કેન્દ્ર સરકારે આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું. જેમાં દેશનાં આર્થિક વિકાસદરથી લઈને વર્તમાન નાણાકીય વર્ષનાં નુક્સાન સુધીનાં મુદાઓ અંગે મહત્વની જાણકારીઓ આપવામાં આવી છે. આર્થિક સર્વેક્ષણમાં 2022-23માં સર્જાયેલ રોજગારો અંગે પણ વિસ્તૃત રિપોર્ટ આપવામાં આવી છે.
કારખાનોમાં રોજગારી વધી
નાનકડાં કારખાનાઓની તુલનામાં 100થી વધુ શ્રમિકોને રોજગાર આપનારાં કારખાનાઓમાં રોજગારી ઝડપથી વધી રહી છે. જે ઉત્પાદ એકમોમાં થતાં વધારાનાં સંકેતો આપે છે.
ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટેની રોજગારીમાં વધારો થઈ રહ્યો છે. તેના આંકડાઓ ગ્રામીણ મહિલા શ્રમબળ ભાગીદારીથી મળી આવે છે. 2018-19માં આ દર 19.7% હતો જે 2020-21માં વધીને 27.7% થયો છે. આ સકારાત્મક સંકેતો છે.
1.2 કરોડ સ્વયં સહાય સમૂહોમાં 88% મહિલાઓ શામેલ છે જેમની પહોંચ 14.2 કરોડ પરિવારો સુધીની છે.
સંયુક્ત રાષ્ટ્ર બહુઆયામી ગરીબી ઈન્ડેક્સ અનુસાર 2005-06થી 2019-21ની વચ્ચે 41 કરોડથી વધુ લોકો ગરીબીથી બહાર આવ્યાં છે.
સ્વરોજગાર કરનારાઓ વધ્યાં, વેતનભોગીઓ ઘટ્યાં
આર્થિક સર્વેક્ષણ કહે છે કે 2017-18ની તુલનામાં 2020-21માં સ્વરોજગારોની સંખ્યા વધી હતી અને નિયમિત વેતનભોગીઓ એટલે કે નોકરિયાતોની સંખ્યામાં ઘટાડો થયો છે. 2017-18માં કામકાજ કરતી વસ્તીમાંથી 52% લોકો સ્વરોજગારો હતાં, જે આંકડો 2020-21માં વધીને 56% થયો છે.
પોર્ટલની મદદથી લોકો શોધી રહ્યાં છે રોજગાર
જાન્યુઆરી 2023 સુધી નોકરી ઈચ્છનારા 2.8 કરોડ લોકો અને 6.8 લાખ લોકોએ નેશનલ કરિયર સર્વિસ પોર્ટલમાં નોંધણી કરી. 2.5 લાખ સક્રિય ખાલી જગ્યાઓ અને કુલ 1.2 કરોડ ખાલી પદો માટેની જાણકારીને ભેગી કરવામાં આવી. આ NCS અંતર્ગત 9100થી વધુ નોકરી મેળાઓ આયોજિત કરવામાં આવ્યાં.