કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામણે વર્ષ 2020-21 માટેનો ઈકોનોમીક સરવે સંસદમાં રજૂ કરી દીધો છે. ઈકોનોમીક સરવેમાં દેશની ઈકોનોમિનું ચિત્ર રજૂ કરાયું છે.
ચાલુ નાણાકીય વર્ષ 2020-21 માં જીડીપી માઈનસ 7.7 ટકા રહેશે
કોરોના મહામારીને કારણે ચાલુ નાણાકીય વર્ષની હાલત ખસ્તાહાલ બની
તમામ રેટિંગ એજન્સી ચાલુ વર્ષે જીડીપીમાં 10 ટકાના ઘટાડાનું અનુમાન વ્યક્ત કરી ચૂકી છે
સરવેમાં કહેવામાં આવ્યું છે કે આ નાણાકીય વર્ષ 2020-21 માં જીડીપી માઈનસ 7.7 ટકા રહેશે એટલે કે તેમાં 7.7 ટકાનો ઘટાડો આવી શકે છે.
સરવેમાં એવું પણ કહેવાયું છે કે આગામી વર્ષે દેશની ઈકોનોમીમાં સારા સુધારાની આશા છે. આગામી નાણાકીય વર્ષમાં 11 ટકા ગ્રોથ રહેવાનું અનુમાન છે. કોરોના મહામારી અને લોકડાઉનને કારણે ઈકોનોમીની ગાડી મંદ પડી હતી. ઈકોનોમીની હાલત ખસ્તાહાલ
કોરોના મહામારીને કારણે ચાલુ નાણાકીય વર્ષની હાલત ખસ્તાહાલ બની છે. તમામ રેટિંગ એજન્સી ચાલુ વર્ષે જીડીપીમાં 10 ટકાના ઘટાડાનું અનુમાન વ્યક્ત કરી ચૂકી છે. આ વર્ષની પહેલા ત્રિમાસિક સમયગાળામાં લગભગ 24 ટકાનો ઘટાડો આવ્યો છે. બે ત્રિમાસિકમાં ઘટાડોનો આંકડો ચાલુ રહેવા પામ્યો છે. ત્રીજા ત્રિમાસિકમાં જીડીપીની આશંકા છે. શું છે ઈકોનોમીક સરવે
ઈકોનોમીક સરવે દેશના આર્થિક વિકાસના લેખાજોખા હોય છે. આ સરવેથી સત્તાવાર રીતે દેશની ઈકોનોમીના ચિત્રની જાણકારી મળે છે. તે ઉપરાંત સરવે પરથી એ પણ જાણકારી મળે છે કે આગામી સમય માટે ઈકોનોમીમાં કેવા પ્રકારના સંભાવના હશે.સરળ શબ્દોમાં કહીએ તો નાણા મંત્રાલયના ઈકોનોમીક સરવેમાં ભારતીય અર્થવ્યવસ્થાનું આખું ચિત્ર જોઈ શકાય છે. ઈકોનોમિક સરવે દ્વારા સરકારને મહત્વના સૂચનો પણ મળી શકે છે જોકે સરવેમાં મળેલા સૂચનો કે ભલામણો લાગુ પાડવી કે નહીં સરકારની મરજી પર આધારિત હોય છે. આર્થિક સરવેને મુખ્ય આર્થિક સલાહકાર (સીઈએ)ની ટીમ તૈયાર કરે છે. હાલના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ છે, તેમની આગેવાનીમાં આ સરવે તૈયાર કરાયો છે. નાણા મંત્રાલયના આ અતિ મહત્વના દસ્તાવેજને નાણાપ્રધાન દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવતો હોય છે.
ઈકોનોમીક સરવેની ખાસ વાતો
- કોરોના મહામારીની સૌથી વધારે માઠી અસર ઉત્પાદન અને બાંધકામ સેક્ટર પર પડી છે.
- સરકારના ખર્ચ વધારવાથી અને એક્સપોર્ટથી ગ્રોથમાં ઘટાડો અટક્યો છે.
- નાણાકીય વર્ષ 2022 માં જીડીપી ગ્રોથ 11 ટકા રહી શકે છે.
- નાણાકીય વર્ષ 2021 માટે કમ્બાઈન્ડ ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ કરતા વધારે છે.
કોરોના સંકટની વચ્ચે કૃષિ સેક્ટર આશાનું કિરણ બની રહેશે.
- સરકાર માટે આરોગ્ય સેક્ટર અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે જે હેલ્થકેર માર્કેટના માળખાને આકાર આપે છે.
- હેલ્થકેર સેક્ટરના નિયમન અને દેખરેખ હાથ ધરવા એક નિયમનકારની વિચારણા કરવી પડશે.