મોદી સરકાર પાસે લોકો અનેક આશા અપેક્ષાઓ રાખીને બેઠા છે. મોદી સરકાર આર્થિક મોર્ચા પર ઝડપથી કામ કરશે.. આ તર્જ પર સરકાર આગળ વધતી દેખાઇ પણ રહી છે. મોદી સરકારએ દેશવ્યાપી આર્થિક સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રોજગારને લઇ દેશવ્યાપી સ્થિતિ સ્પષ્ટ ન થતા અસમંજસની સ્થિતિ દૂર હવે થશે. ગત કેબિનેટ બેઠકમાં સરકારે આર્થિક સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો હતો જે આવતા 6 મહિનામાં પૂરો થઇ જશે.
મોદી સરકાર પાસે લોકો અનેક આશા અપેક્ષાઓ રાખીને બેઠા છે. મોદી સરકાર આર્થિક મોર્ચા પર ઝડપથી કામ કરશે. આમ તો આ સાતમો આર્થિક સર્વેક્ષણ થશે, પરંતુ આ સર્વેક્ષણ પોતાનામાં જ અનોખો હશે. પહેલી વખત સ્વરોજગાર પછી તે ગમે તે રૂપમાં હોય તેની ગણતરી કરાશે, અને તેને આખા દેશની સામે રજૂ કરાશે.
લારી અને રેકડીવાળાઓનો પણ આર્થિક સર્વેક્ષણમાં સમાવેશ કરાશે. રોજગારીને લઇ દરેક સરકાર વિપક્ષના નિશાના પર રહે છે. મોદી સરકાર- 2એ તેને લઇ જ રાજકારણને ખત્મ કરવાનો નિર્ણય લીધો છે. હવે દરેક શખ્સની આર્થિક ગણતરી થશે જે પોતાના પગ પર ઉભો છે.
અત્યાર સુધી સરકારી નોકરીને જ રોજગારી માનનારને ખબર પડી જશે કે, દેશમાં રોજગારીની સ્થિતિ શું છે. સાથો સાથ સરકારની પાસે પૂરતો ડેટા પણ આવી જશે કે, કોણ અને કેટલાં લોકો રોજગારી મળી છે. તેના માટે રાજ્યોની પાસેથી પણ ડેટા મગાવાયો છે. આર્થિક સર્વેને બિલકુલ વસતી ગણતરીની જેમ જ પૂરો કરાશે.
આ સર્વેક્ષણ માટે 12 લાખ સર્વેક્ષણકર્તાઓને ટ્રેનિંગ આપી તૈયારી કર્યા છે. તેના માટે તેમને એક ફોર્મ અપાશે. તેના આધાર પર ડેટા તૈયાર કરીને રોજગારીની યોગ્ય સ્થિતિ અંગે પૂછાશે. 12 લાખ સર્વેક્ષણકર્તાઓના રિપોર્ટને NSSOના અધિકારી ચકાસશે.