ઝારખંડમાં સત્તા ગુમાવ્યા બાદ હવે બીજેપી દિલ્હીમાં પણ હારી શકે છે. આ આશંકા ભગવા પાર્ટીના જ વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દર્શાવી છે. સુબ્રમણ્યમ સ્વામીએ સાથે જ કહ્યું કે, દેશમાં ફેલાઇ રહેલી આર્થિક મંદી અયોધ્યા કેસમાં પાર્ટીની જીત પર ગ્રહણ લગાવી રહી છે.
ઝારખંડમાં સત્તા ગુમાવ્યા બાદ હવે બીજેપી દિલ્હીમાં પણ હારી શકે છે
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો દાવો
આર્થિક સ્થિતિ એટલી ખરાબ કે, બીજેપી દિલ્હીમાં પણ હારી શકે છે
'HuffPost India' ને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વામીએ જણાવ્યું કે, ભારતની કથળી ગયેલી અર્થવ્યવસ્થાને કારણે બીજેપી અને તેના નેતાઓને અયોધ્યા (રામ મંદિર-બાબરી જમીન વિવાદ) પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મળેલી જીત પર ઝટકો લાગી શકે છે.
80 વર્ષના સાંસદે આગળ દાવો કર્યો કે, દેશની વર્તમાન આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે, ભાજપને તેની કિંમત ઝારખંડની સાથે દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં હારના રૂપે ચૂકાવવી પડી શકે છે.
સ્વામીએ કહ્યું કે, રામ મંદિર નિર્માણ પર અમે ખુબ જ ગંભીર છીએ, તેથી રસ્તાઓ પર જવા, માળા પહેરાવવા, મિઠાઇઓ વહેંચવા અને રેલીઓ કરવાનો સમય નથી. અર્થવ્યવસ્થા જ મુખ્ય વસ્તુ છે. જો આપ આ ક્ષેત્રમાં સારુ પ્રદર્શન કરો છો, ત્યારે એ જરૂરી નથી કે, આપની જ જીત થાય. કેમ? નરસિમ્હા રાવ પણ એક ઉદાહરણ હતા. અટલ બિહારી વાજપેયી પણ હતા.
સુબ્રમણ્યમ સ્વામી મુજબ, જો અર્થવ્યવસ્થા એટલી ખરાબ હશે કે લોકોને એ જ નહીં ખબર પડે કે, બાળકોની ફી કેવી રીતે ભરીએ, તેમની બેન્ક આર્થિક સંકટનો શિકાર બનવા જઇ રહી છે. આપણે અર્થવ્યવસ્થાના આ ચરણ પર આવી પહોંચ્યા છીએ. આપણે બરબાદીના એકદમ નજીક છીએ. કેટલાક ચમત્કાર જ તેમા આપણને બચાવી શકે છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં તેઓ બોલ્યા, રાજધાનીમાં અમારી પાસે કેટલોક સમય છે. જેમા આપણે સારો મુખ્યમંત્રીનો દાવેદાર ઉભો કરી શકીએ છીએ.