ઇન્ફોસિસમાં છટણીના સમાચાર મળી રહ્યા છે. કંપની જેએલ6 (ઇન્ટરનલ જોબ કોડ) લેવલના 2200 ઇગ્જેક્યુટિવ્સને હટાવશે. આ તમામ મધ્ય અને ઉચ્ચ સ્તર પર કામનાર ઇગ્જેક્યુટિવ્સ છે. કંપનીમાં જેએલ 6,7 અને 8 બેન્ડમાં 30,092 લોકો કામ કરે છે. BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) માં પણ 1 લાખ લોકોની રોજી-રોટી પર સંકટ ઘેરાયું છે.
BSNL તો ચૂકવણીને પગલે 1 લાખ લોકોની રોજી-રોટી પર સંકટ ઘેરાયું
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર મુજબ, જેએલ 1થી 5 લેવલ સુધીના તમામ 2-5 ટકા કર્મચારીઓને હટાવવાનો પ્લાન બનાવી રહી છે. આ સંખ્યા 4થી 10000 હજારની વચ્ચે હશે. ઇન્ફોસિસમાં એસોસિએટ્સ બેન્ડ હેઠળ 86,558 કર્મચારી કામ કરે છે, જ્યારે મિડલ બેન્ડમાં 1.1 લાખ લોકો છે.
એવીપી, વીપી, એસવીપી અને ઇવીપી લેવલના 2-5 ટકા અધિકારી પણ હટાવવામાં આવશે. આ લેવલ પર 971 અધિકારી કામ કરે છે. તેમાંથી 50 ની છટણી કરવામાં આવી શકે છે.
કંપનીનું કહેવું છે કે આ મોટા પ્રમાણમાં કરવામાં આવતી છટણી નથી, પરંતુ સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે. પરંતુ કેટલાક જાણકારોનું માનવું છે કે ઇન્ફોસિસનું આમ કરવાનો ઇતિહાસ રહ્યો નથી.
જ્યારે વાત કરવામાં આવે બીએસએનએલ (ભારત સંચાર નિગમ લિમિટેડ) ની તો ચૂકવણીને પગલે 1 લાખ લોકોની રોજી-રોટી પર સંકટ ઘેરાયું છે. આ ચૂકવણી 20 હજાર કરોડ રૂપિયાનું છે. બીએસએનએલ પોતાના દમ પર તેને ચૂકવવાની હાલતમાં નથી અને સરકાર આ દિશામા ઉદાસીન બની છે. આ ચૂકવણી BSNLને સપોર્ટ સર્વિસ અથવા સામાન ઉપલબ્ધ કરાવતી નાની-મોટી કંપનીઓની છે.
માનવામાં આવી રહ્યું છે કે, દર બેમાંથી એક વ્યક્તિની નોકરી જઇ શકે છે. પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં દૂરસંચાર સમિતિના અધ્યક્ષ સંદીપ અગ્રવાલના હવાલાથી ઇકોનોમિક ટાઇમ્સે જણાવ્યું છે કે આવનારા કેટલાક સપ્તાહમાં દેશી કંપનીઓમાં કામ કરનાર એક લાખથી વધારે લોકો બેરોજગાર થઇ જશે.
નોંધનીય છે કે, ગત સપ્તાહે આઇટી ક્ષેત્રની વધુ એક દિગ્ગજ કંપની Cognizant Technology Solution Corporationના કન્ટેન્ટ મોડરેશન કારોબાર સમેટવાનું એલાન કર્યું છે. કંપનીના આ નિર્ણયથી 6000 લોકો બેરોજગાર થવા જઇ રહ્યા છે. કંપની તેમના ઉપરાંત 7000 લોકોની છટણી કરવા પર વિચાર કરી રહી છે.