મંદીથી પસાર થઇ રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને વધુ એક ઝટકો લાગ્યો છે. ચાલૂ નાણાકીય વર્ષ ( 2019-20 ) ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતના વિકાસ દરમાં મોટો ઘટાડો આવ્યો છે. હવે જીડીપીનો આંકડો ઘટીને 4.5 ટકાએ પહોંચી ગયો છે. આ સાત વર્ષનો સૌથી મોટો ઘટાડો છે.
મંદીથી પસાર થઇ રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને વધુ એક ઝટકો
ભારતના વિકાસ દરમાં ઘટાડો, જીડીપીનો આંકડો ઘટીને 4.5 ટકાએ પહોંચ્યો
સરકારને નાણાકીય ખાદ્યના મોરચે પણ ઝટકો લાગ્યો છે
ચાલુ નાણાકીય વર્ષ ( 2019-20 ) ના પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો દર 5 ટકા પર હતો. આ હિસાબે માત્ર 3 મહીનામાં જ જીડીપીના દરમાં 0.5 ટકાનો ઘટાડો આવ્યો છે.
સરકારને નાણાકીય ખાદ્યના મોરચે પણ ઝટકો
સરકારને નાણાકીય ખાદ્યના મોરચે પણ ઝટકો લાગ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ પહેલા 7 મહીના નાણાકીય ખાદ્યના લક્ષ્યથી વધુ 7.2 ટ્રિલિયન રૂપિયા રહ્યું. ત્યારે એપ્રિલથી ઓક્ટોબરની અવધિમાં સરકારને 6.83 ટ્રિલિયન રૂપિયાનું રાજસ્વ પ્રાપ્ત થયું જ્યારે ખર્ચ 16.55 ટ્રિલિયન રૂપિયા રહ્યું
Government of India: Quarter 2 Gross Domestic Product (GDP) showing a growth rate of 4.5% https://t.co/ysSTQ3rZAH
ચાલુ નાણાકીય વર્ષ (2019-20)ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મેન્યુફેક્ટરિંગ સેક્ટરમાં અંદાજિત 0.6 ટકાના દરથી આગળ વધ્યું. આ વર્ષ પહેલા આ અવધિમાં આ સેક્ટરમાં 12.1 ટકાના દરથી વધી ગયો હતો. આ સિવાય એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી અને ફિશિંગ સેક્ટરમાં 2 ટકાના દરથી વધારો દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ સેક્ટર 5.1 ટકાના દરથી આગળ વધ્યો હતો. કન્ટ્રક્શન સેક્ટરની વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં આ 5.7 ટકાના દરથી વધ્યો હતો. છેલ્લા નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિકમાં 9.6 ટકાથી ઝડપથી આવી હતી.
જોકે માઇનિંક સેક્ટમાં થોડી તેજી જોવા મળી અને આ છેલ્લા નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિકના 0.4 ટકાની તુલનામાં 2.7 ટકાના દરથી આગળ વધ્યું. આ પ્રકારે ઇલેક્ટ્રિસિટી, ગેસ, વોટર સપ્લાઇ સહિત અન્ય યૂટિલિટી સેક્ટરમાં 8.6 ટકાના દરથી વૃદ્ધિ નોંધાઇ છે. ગત નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક આ આંકડા 6.7 ટકા હતા. જીડીપી ગ્રોથમાં ઘટાડો પ્રથમ ત્રિમાસિકમાં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિને અનુકૂળ છે, જે અંદાજિત 3.6 ટકા રહ્યો હતો, જ્યારે છેલ્લા વર્ષના સમાન ત્રિમાસિકમાં આ આંકડો 5.1 ટકા હતો.
GDPનું શું આંતરિક કનેક્શન ?
GDP જીડીપીના આંકડાઓની સામાન્ય લોકોને પણ અસર કરે છે. જીડીપીના આંકડામાં ઘટાડો થવાને કારણે, સરેરાશ આવક ઘટે છે અને લોકો ગરીબીની રેખા નીચે જાય છે. આ સિવાય નવી નોકરીઓ ઉભી થવાની ગતિ પણ ધીમી થઈ જાય છે. આ સાથે જ લોકોની બચત અને રોકાણો પણ ઘટે છે. આ સ્થિતિમાં, લોકો ખરીદી ઓછી કરે છે, ત્યારબાદ કંપનીઓ ઉત્પાદન ઘટાડે છે. ઉત્પાદનમાં ઘટાડો થતાં છટણીની સંભાવના વધે છે.