પ્રધાનમંત્રીને આર્થિક સલાહ આપતી કમિટીએ આપેલ રિપોર્ટને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે PMને બે પ્રમુખ ભલામણ કરવામાં આવી છે.
દેશમાં મહામારી બાદ મોંઘવારીનું તાંડવ
શહેરી રોજગાર ગેરંટી યોજના શરૂ કરવા પ્રધાનમંત્રીને સલાહ
યૂનિવર્સલ બેઝિક ઈન્કમ લાગુ કરવા માટે પણ ભલામણ
દેશમાં મહામારી બાદ મોંઘવારી તાંડવ મચાવી રહી છે અને તેના માટે સરકાર કોઈ પગલાં ભરે તેવી જનતાની આશા છે, સાથે સાથે દેશના યુવાનોને રોજગારને લઈને પણ લાંબા સમયથી પ્રશ્ન છે ત્યારે દેશમાં બેરોજગારીની સમસ્યા સામે લડવા માટે પ્રધાનમંત્રીના ઈકોનોમિક એડવાઇઝર કમિટીએ શહેરી રોજગાર ગેરંટી યોજના શરૂ કરવા માટે સલાહ આપી છે, મીડિયા અહેવાલમાં આ મુદ્દે દાવો કરવામાં આવ્યો છે.
આવકની અસમાનતા દૂર કરવા પણ ભલામણ
EAC દ્વારા આપવામાં આવેલ સલાહ અનુસાર કમિટીએ આવકના અંતરને ઓછો કરવા માટે યૂનિવર્સલ બેઝિક ઈન્કમ પણ શરૂ કરી દેવા માટે સલાહ આપી છે.
આર્થિક ઉત્થાન માટે પગલાં ભરવા સૂચના
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર કમિટી દ્વારા સરકારી ખર્ચને વધારવા માટે પણ પગલાં ભરવાને લઈને ભલામણ કરવામાં આવી છે જેથી નબળા વર્ગનું આર્થિક ઉત્થાન કરવામાં આવે.
નોકરી કરનારાની તુલનામાં જાતે ધંધો કરનારા લોકોની સંખ્યા વધારે
નોંધનીય છે કે ભારતમાં એક રિપોર્ટ અનુસાર વર્ષ 2019-20માં રોજગાર શ્રેણીઓમાં સૌથી વધારે સ્વ નિયોજીત એટલે કે સેલ્ફ ઈમ્પલોઈડ છે જેમની સંખ્યા 45.78%, તે પછી નોકરી કરનારા 33.5% અને તે બાદ આકસ્મિક શ્રમિકો 20.71% સાથે ત્રીજા નંબર પર છે.