ભાવનગરઃ દરિયાકાંઠાના વિસ્તારમાંથી નીકળતી કાળી માટી અને અન્ય વિસ્તારમાંથી નીકળતી માટી કે જે ગણેશ માટી તરીકે ઓળખવામાં આવે છે. તે માટી માંથી હાલ ભાવનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવાના વર્કશોપ ઠેર ઠેર શરૂ કરવામાં આવ્યા છે. આ ઇકો ફ્રેન્ડલી ગણેશના કારણે દરિયાસૃષ્ટિ ઉપર જોખમ રહેતું નથી. તેનાથી પ્રદુષણ પણ થતું નથી તેવો દાવો આ માટીના ગણેશ બનાવવાનારા લોકો દ્વારા કરવામાં આવ્યો છે.
ગણેશ ચતુર્થીને હવે થોડા દિવસો બાકી રહ્યાં છે. ત્યારે બજારમાં વહેંચતા પ્લાસ્ટર ઓફ પેરિસના ગણેશની મૂર્તિથી પ્રદૂષણ અને દરિયાઇ સૃષ્ટિને જોખમ થતું હોય હવે લોકો ખુદ ઘરે ઘરે માટીના ગણેશ અને ઇકો ફ્રેન્ડલી ગણેશ બનવવા લાગ્યા છે.
ભાવનગરમાં કોલેજોએ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગણેશ કેમ બનાવવા તે માટેના વર્કશોપ શરૂ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં કે.આર.દોશી કોલેજ દ્વારા કાલી માટીના ગણેશ બનાવવાના વર્કશોપ યોજવામાં આવ્યા છે.
આ ગણેશ બનવવામાં ક્યાંક નાળિયેરના છોતરા તેમજ અન્ય લાકડાની સ્ટીકનો ઉપયોગ કરવામાં આવે છે. તો ક્યાંક એકલી માટીના જ ગણેશ બનવવામાં આવે છે. લોકોનું કહેવું છે કે દરિયાઈ જીવ સૃષ્ટિને બચાવવાનો આ અમારો પ્રયાસ છે.