ચંદ્રની ચાલમાં આજે પરિવર્તન થઇ રહ્યું છે. ચંદ્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં રાહુ પહેલેથી બિરાજમાન છે. બંને ગ્રહો એકસાથે આવવાથી ગ્રહણ યોગ બનશે. વૃષભ રાશિમાં ગ્રહણ યોગ બનતા કન્યા, તુલા, વૃશ્વિક રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવી પડશે. તો વૃષભ રાશિમાં 25 ઓક્ટોબર 2021 સોમવારે બપોરે 2 કલાકને 37 મિનિટે ગ્રહણ યોગનું સમાપન થશે.
વૃષભ રાશિમાં બનશે ગ્રહણ યોગ
ગ્રહણ યોગ બનતા ત્રણ રાશિના જાતકોએ રાખવી પડશે થોડી સાવધાની
ગ્રહણ યોગથી બચવા માટે જાતકો કરી શકે છે આ ઉપાય
ક્યારે બને છે ગ્રહણ યોગ?
સતત ત્રણ દિવસ સુધી વૃષભ રાશિની સાથે કન્યા, તુલા અને વૃશ્વિક રાશિના જાતકોએ પણ સાવધાન રહેવાની જરૂર છે. હવે તમને જણાવીશું કે કેવીરીતે બને છે ગ્રહણ યોગ અને તેનો પ્રભાવ શું હોય છે? વિદ્વાન જ્યોતિષાચાર્યના જણાવ્યાં મુજબ, જ્યારે કોઈ જાતકની જન્મ કુંડળીના 12મા સ્થાનમાં કોઈ પણ ભાવમાં સૂર્ય અને ચંદ્રની સાથે રાહુ અથવા કેતુમાંથી કોઈ પણ એક પાપ ગ્રહ બિરાજમાન થાય છે તો ગ્રહણ યોગ બને છે. જે ભાવમાં આ ગ્રહણ યોગ બને છે, તે ભાવથી સંબંધિત પરિણામો પર નકારાત્મક પ્રભાવ નાખે છે. આ યોગને અશુભ યોગમાંથી એક માનવામાં આવે છે. ચંદ્ર અને રાહુની યુતિ બનવાથી વ્યક્તિની ઉંઘમાં અવરોધ પેદા થાય છે. જેનાથી વ્યક્તિને નકારાત્મક વિચાર અને સપના આવે છે. આ સાથે ગ્રહણ યોગમાં આવતા વ્યક્તિઓને દરેક કામમાં આશંકા ઉભી થાય છે.
ગ્રહણ યોગમાં શું કરશો ઉપાય
ચંદ્ર અને રાહુની યુતિ બનતી હોય તો તેવા વ્યક્તિઓએ દરરોજ ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ. સોમવારે શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરવો જોઈએ અને શિવમંત્રોના જાપ કરવા જોઈએ. સોમવારે ભગવાન શિવને ખીરનો પ્રસાદ ધરાવી આ પ્રસાદ જાતકે પણ ગ્રહણ કરવો જોઈએ. કુંડળીમાં ચંદ્ર મજબુત કરવા માટે પૂનમનું વ્રત રાખવાથી અણધાર્યા કામ પાર પડે છે.