ઉત્તરપ્રદેશના હાથરસની ઘટનાના પગલે લોકોમાં ભારે રોષ છે. અમદાવાદમાં પણ આ ઘટનાને લઇને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે આ ઘટનાના વિરોધમાં શહેરીજનોએ ગાંધી આશ્રમથી કલેકટર કચેરી સુધી રેલી યોજી હતી. બેનરો સાથે લોકો રેલીમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે હાથરસની ઘટનાનો વિરોધ કર્યો હતો.