યોજના હેઠળ નિકાસકર્તાઓને 60 ટકા સુધીના નુકસાન માટે સરળતાથી ક્રેડિટ મળશે. આ સાથે જ 90 ટકા રકમ અને વ્યાજનો વીમો મળશે. યોજનામાં પ્રી અને પોસ્ટ બંને જ શિપમેન્ટ ક્રેડિટ સામેલ છે.
કોર્પોરેટ મામલાના મંત્રી પીયૂષ ગોયલે સોમવારે દિલ્હીમાં મોટી જાહેરાત કરી, એમને કહ્યું કે એક્સપોર્ટ ગેરંટી કોર્પોરેશન ઑફ ઇન્ડિયાએ એક નવી યોજનાની શરૂઆત કરી છે. યોજનાનું નામ એનઆઇઆરવીઆઇકે છે. આ યોજનાથી દેશના કરોડો લોકોને લાભ મળશે. આવું એટલા માટે કારણ કે યોજના હેઠળ નિકાસ કરતા લોકોને સરળતાથી લોન મળી શકે.
નિકાસકર્તાને સરળતાથી મળશે ક્રેડિટ
યોજના હેઠળ નિકાસકર્તાઓને 60 ટકા સુધીના નુકસાન માટે સરળતાથી ક્રેડિટ મળશે. આ સાથે જ 90 ટકા રકમ અને વ્યાજનો વીમો મળશે. યોજનામાં પ્રી અને પોસ્ટ બંને જ શિપમેન્ટ ક્રેડિટ સામેલ છે.
Union Minister Piyush Goyal: Export Credit Guarantee Corporation of India (ECGC) provides credit guarantee of up to 60% loss. Under new scheme, up to 90% of the principal and interest will be covered under insurance. It will cover both pre and post shipment credit. https://t.co/X95EtsD8Aw
આ કારણથી કરી નવી યોજનાની જાહેરાત
જૂનમાં દેશનું વેપાર નુકસાન છ મહિનાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયું હતું. સરકારી આંકડા અનુસાર ગત વર્ષની સરખામણીએ વેપાર નુકસાનમાં 120 કરોડ ડૉલરની વધારો જોવા મળ્યો. જણાવી દઇએ કે વેપાર નુકસાન આયાત અને નિકાસ થયેલા ઉત્પાદોનું અંતર હોય છે.
મે મહિનામાં દેશથી થનારા ઉત્પાદોનો નિકાસ માત્ર 4 ટકા વધીને 3 હજાર કરોડ ડૉલરની સ્તર પર પહોંચી શક્યો હતો. તો બીજી બાજુ આયાતમાં 4.3 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ગત વર્ષે વેપાર નુકસાન 1420 કરોડ ડૉલર હતો જે આ વર્ષે મે મહિનામાં વધીને 1540 કરોડ ડૉલર થઇ ગયો હતો. એટલા માટે નિકાસ વધારવા માટે સરકારે આ યોજનાની જાહેરાત કરી છે.