એસીજીસી એટલે કે એક્સપોર્ટ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ પ્રોબેશનરી ઓફિસરના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેરા કરવામાં આવ્યું છે.
નોકરીની શોધ કરતા યુવાનો માટે બેસ્ટ તક
પ્રોબેશનરી ઓફિસરની 75 જગ્યાઓ પર વેકેન્સી
જાણો તેના વિશે બધુ જ
એસીજીસી એટલે કે એક્સપોર્ટ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ પ્રોબેશનરી ઓફિસરના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. ઈચ્છુક ઉમેદવાર આ ભરતીના પદ પર અરજી કરવા માટે ઓફિશ્યલ વેબસાઈટ ecgc.inના માધ્યમથી અરજી કરી શકે છે. આ ભરતી હેઠળ પદો પર અરજી કરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ 2022 છે.
જાહેર કરેલ નોટિફિકેશન અનુસાર આ ભરતી અભિયાન હેઠળ પ્રોબેશનરી ઓફિસરની 75 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. જેમાં અનુસૂચિત જાતિ માટે 11 પોસ્ટ, અનુસૂચિત જનજાતિ માટે 10 પોસ્ટ, અન્ય પછાત વર્ગો માટે 13 પોસ્ટ, આર્થિક રીતે નબળા વર્ગ માટે 7 પોસ્ટ અને બિન અનામત જગ્યાઓ માટે 34 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે.
જાણો ખાલી જગ્યાઓની ડિટેલ્સ
આ ભરતી અનુસાર આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષા અને ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. આ ભરતી માટેની લેખિત પરીક્ષા 29 મે 2022 ના રોજ લેવામાં આવે તેવી શક્યતા છે.
પ્રોબેશનરી ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજી કરવા ઇચ્છતા ઉમેદવાર પાસે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. ભરતી સંબંધિત અન્ય માહિતી માટે ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશન જોઈ શકે છે.
એપ્લિકેશન માટે શું કરશો?
રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે 21 માર્ચથી 20 એપ્રિલ 2022 સુધી અધિકૃત વેબસાઇટ ecgc.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવા માટે, સામાન્ય, અન્ય પછાત વર્ગો અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ અરજી ફી તરીકે 850 જમા કરાવવાના રહેશે.