રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહના એક નિવેદનને લઇને ચૂંટણી આયોગ ઘણુ કડક થયું છે અને આ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ફરિયાદ કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ પર ચૂંટણી પંચ બાઝ નજર રાખી રહ્યું છે. ચૂંટણી પંચનો પ્રયત્ન રહે છે કે ચૂંટણી દરમિયાન આચાર સંહિતાનો ભંગ ના થાય. રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહના એક નિવેદનને લઇને ચૂંટણી આયોગ ઘણુ કડક થયું છે અને આ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ફરિયાદ કરવામાં આવી છે.
ચૂંટણી આયોગે રાજ્યપાલ કલ્યાણસિંહના નિવેદન પર સૂચના લેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોમવારે રાત્રે પત્ર લખ્યો અને પત્ર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. સોમવારે સાંજ ચૂંટણી આયોગની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી અને બેઠક બાદ રાષ્ટ્રપતિને આ અંગે પત્ર લખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અલીગઢમાં રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહે કહ્યું હતું કે આપણે બધા ભાજપના કાર્યકર્તાઓ છીએ, આપણે ઇચ્છીએ છીએ કે ભાજપ મોટી જીત પ્રાપ્ત કરે. દેશ માટે જરૂરી છે કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને. કલ્યાણસિંહના દિકરા રાજવીર સિંહ ઉર્ફે રાજૂ ભૈયા એટાથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે.