ચૂંટણી આયોગ હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નેતાઓના વિવાદીત નિવેદન પર કડક કાર્યવાહી કરી રહ્યું છે. જેમાં આચારસંહિતાના ઉલ્લંઘનને લઇને આઝમ ખાન પર ફરી 48 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી પર 72 કલાકનો ચૂંટણી પ્રચારનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ચૂંટણી પંચે સમાજવાદી પાર્ટી નેતા આઝમ ખાન પર બીજી વખત આચારસંહિતાના ભંગ બદલ પ્રતિબંધ લગાવ્યો છે. આઝમ ખાન પર 1લી મેના સવારના 6 વાગ્યાથી 48 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. ઉલ્લેખનીય છેકે આ અગાઉ પણ ચૂંટણી પંચે આઝમ ખાન પર જયાપ્રદા પર આપત્તિજનક ટિપ્પણીને લઇને પ્રતિબંધ મૂક્યો હતો.
ઉત્તર પ્રદેશમાં સપાના નેતા અને રામપુર બેઠક પરથી લોકસભાના ઉમેદવાર આઝમ ખાન હંમેશા પોતાના વિવાદિત નિવેદનોથી જાણીતા છે. ત્યારે ફરી એકવાર ચૂંટણી પંચે આઝમ ખાન પર આચારસંહિતાના ભંગ બદલ 48 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. આઝમ ખાન પર આજથી સવારના 6 વાગ્યાથી 48 કલાકનો પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.
જેથી હવે આઝમ ખાન બે દિવસ માટે કોઈ પણ પ્રકારનો પ્રચાર કે પ્રસાર, ચૂંટણી રેલી નહીં કરી શકે. ઉલ્લેખનીય છે કે, આઝમ ખાને 5 એપ્રિલ, 7 એપ્રિલ, 8 એપ્રિલ, 9 એપ્રિલ અને 12 એપ્રિલના રોજ ઉત્તરપ્રદેશના વિવિધ વિસ્તારમાં યોજાયેલી ચૂંટણી રેલીમાં વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આઝમ ખાને કહ્યું હતુ કે, ફાંસીવાદી લોકો તેમને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તો કથિત રીતે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પીએમ મોદી મુસ્લિમોને મારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આઝમ ખાને ભાજપના ઉમેદવાર જયા પ્રદા વિરૂદ્ધ આપતિજનક ટિપ્પણી કરી હતી. ત્યારે પણ ચૂંટણી પંચે આઝમ ખાન પર 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો હતો.