મદ્રાસ હાઈકોર્ટે કોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું છે.
મદ્રાસ હાઈકોર્ટની ચૂંટણી પંચને તીખી ટીપ્પણી
કોરોના સંકટ છતા પણ ચૂંટણી પંચે રેલીઓ ન અટકાવી
ચૂંટણી પંચના અધિકારીઓની સામે ખૂનનો ગુનો દાખલ કરવો જોઈએ-હાઈકોર્ટ
મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એસ.બેનરજીએ એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું કે ચૂંટણી પંચે બીજી લહેર માટે જવાબદાર છે કારણ કે ચૂંટણી પંચે કોરોના સંકટ છતા પણ રેલીઓ અટકાવી નહોતી.
Madras High Court comes down heavily on Election Commission of India @ECISVEEP for allowing political rallies during #COVID
ચીફ જસ્ટિસે કહ્યું કે ચૂંટણી પંચના અધિકારીઓ પર ખૂનનો ગૂનો દાખલ થાય તો પણ ખોટું કામ નહીં ગણાય.
રેલીઓ યોજાઈ રહી હતી ત્યારે શું ચૂંટણી પંચ બીજા ગ્રહ પર હતું ? હાઈકોર્ટનો વેધક સવાલ
તમિલનાડુની કરુર વિધાનસભા બેઠકના મતદાન દરમિયાન કોરોના નિયમોના પાલન સંબંધઇત એક અરજીની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ બેનરજી અને જસ્ટિસ સેન્થીકુમાર રામમૂર્તિની આગેવાની વાળી ખંડપીઠે ચૂંટણી પંચને ધારદાર સવાલ પૂછ્યા કે જ્યારે રેલીઓ યોજાઈ રહી હતી ત્યારે તમે શું બીજા ગ્રહ પર હતા ? ખંડપીઠે કહ્યું કે કોર્ટનો ઓર્ડર હોવા છતાં પણ ચૂંટણી પંચે રાજકીય પક્ષોની રેલીઓ દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યું. ફેસ માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ ન કરાયો કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન પણ ન કરાયું.
લોકોના જીવન બચાવવા અગ્રિમતા-મદ્રાસ હાઈકોર્ટ
ચીફ જસ્ટિસે ચૂંટણી પંચને જણાવ્યું કે લોકોનું આરોગ્ય ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે અને ખેદજનક છે કે બંધારણીય સંસ્થાને પણ આવી રીતે આ વાતની યાદ દેવડાવવી પડે છે. તેમણે કહ્યું કે સ્થિતિ હવે તો જીવન બચાવવાની બની છે. બીજી બધી વાતો ગૌણ બની જાય છે. ચીફ જસ્ટિસે ચૂંટણી પંચને રાજ્ય આરોગ્ય સસચિવની સાથે સલાહ મસલત કરીને 30 એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો કડક આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસે એવી પણ ચેતવણી આપી છે કે જો આ આદેશનું પાલન ન થયું તો મતગણતરી અટકાવી દેવાનો પણ આદેશ આપીશું.