ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ દેશ હવે one nation one election માટે તૈયાર હોવાનું કહ્યું હતું. સાથે તેમણે અધ્યક્ષ અખિલેશ યાદવના ઈવીએમ અંગેના આરોપોનો જવાબ આપ્યો હતો.
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાનું નિવેદન
ચૂંટણી પંચ એક દેશ એક ચૂંટણી માટે તૈયાર
અખિલેશ યાદવના ઈવીએમ અંગેના આરોપોનો જવાબ આપ્યો
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના ઈવીએમ અંગેના આરોપોનો જવાબ આપ્યો છે. સુશીલ ચંદ્રાએ કહ્યું કે અહીં ઈવીએમ સાથે છેડછાડનો કોઈ પ્રશ્ન જ નથી. ભારતના ચૂંટણી પંચે હંમેશા પારદર્શિતા જાળવી છે.
એક સમાચાર એજન્સી સાથે વાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે વારાણસીના ADMને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે તેમણે ઈવીએમ લઈ જતા સમયે રાજકીય પક્ષોને જાણ કરી ન હતી, જે એક પ્રક્રિયાનો ભાગ જ છે.
EVM માં છેડછાડનો સવાલ જ નથી
આ સિવાય સુશીલ ચંદ્રાએ કહ્યું કે ઈવીએમમાં છેડછાડનો સવાલ જ ઊભો થતો નથી. 2004થી સતત ઈવીએમનો ઉપયોગ થઈ રહ્યો છે.
વર્ષ 2019 સુધીમાં, અમે દરેક બૂથ પર વોટર-વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રાયલ (VVPAT) નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. તેમને જોયા બાદ રાજકીય પક્ષોના પોલિંગ એજન્ટની સામે ઈવીએમ સીલ કરવામાં આવે છે અને તેમની પાસેથી સહીઓ લેવામાં આવે છે.
આ સિવાય chief election commissioner of india સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી એક સારું સૂચન છે પરંતુ તેના માટે બંધારણમાં ફેરફાર કરવાની જરૂર છે. ચૂંટણી પંચ એકસાથે તમામ ચૂંટણીઓ કરાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર અને સક્ષમ છે. અમે 5 વર્ષમાં માત્ર એક જ વાર ચૂંટણી કરાવવા તૈયાર છીએ.