રાજનીતિ / મહારાષ્ટ્રમાં આખરે ઉદ્ધવ ઠાકરેને મળી મોટી રાહત, આ ચૂંટણીને લઈ ECએ તારીખ કરી જાહેર

EC gives relief to uddhav thackeray to hold MLC election

મહારાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી શોકમગ્ન વાતાવરણ જોવા મળી રહ્યું હતું. પહેલા બોલીવૂડના અભિનેતા ઇરફાન ખાન અને ત્યારબાદ ઋષિ કપૂરના નિધનના કારણે રાજ્યમાં બે દિવસ સદ્દમા પસાર થયા છે. જો કે બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી પર સંકટના વાદળો ઘેરાતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો જેને મીડિયા સમક્ષ જારી કર્યો. જેમાં રાજ્યપાલે વિધાનસભાની 9 ખાલી બેઠક પર જલ્દી ચૂંટણી યોજવાની ભલામણ કરી હતી. જો કે રાજકીય મથામણ વચ્ચે આજે સવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. જેને લઇને રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ