ચૂંટણી આયોગે PM મોદીનાં મિશન શક્તિની જાહેરાતનાં સંબોધનને આચારસંહિતાનું ઉલ્લંઘન નથી માન્યું. આયોગે જણાવ્યું કે, મોદીનાં સંબોધનમાં કોઇ પણ પ્રકારે તેઓની પાર્ટીનો પ્રચાર નથી કરાયો. આયોગે કહ્યું કે, પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનમાં વોટની અપીલ ન હોતી કરી. ચૂંટણી આયોગે આને માટે એક તપાસ કમિટીનું ગઠન કર્યુ હતું અને દૂરદર્શન અને આકાશવાણીથી પ્રસારણની ફીડ અને સ્ત્રોત અને અન્ય જાણકારીઓ પણ માંગી હતી.
વિપક્ષની ફરિયાદ બાદ ચૂંટણી આયોગે બુધવારનાં રોજ ઉપચૂંટણી આયુક્તનાં નેતૃત્વમાં એક પેનલનું ગઠન કર્યુ હતું. જેને પ્રધાનમંત્રી મોદીનાં ભાષણની તપાસ કરી. વિપક્ષી દળોએ ફરિયાદમાં કહ્યું હતું કે પીએમએ પોતાનાં સંબોધનમાં સરકારની 'ઉપલબ્ધિ'ને વિશે જણાવ્યું છે. તેઓનાં ભાષણમાં રાષ્ટ્રીય સુરક્ષાથી સંબંધિત કંઇ જ ન હોતું.
તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રનાં નામ સંબોધનમાં બુધવાર સવારનાં જણાવ્યું હતું કે ભારત આજે અંતરિક્ષની મહાશક્તિ બની ચૂકેલ છે. તેઓએ જણાવ્યું કે, "ભારતે આજે પોતાનું નામ સ્પેસ પાવરનાં રૂપમાં દાખલ કરાવી નાખ્યું છે. પ્રધાનમંત્રીનાં મિશન શક્તિનાં સંબોધન બાદ જ ચૂંટણી આયોગે આ મામલા પર નજર બનાવી રાખી હતી. ચૂંટણી આયોગે પ્રધાનમંત્રીનાં સંબોધન પર વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરી. આમાં ચૂંટણી આચારસંહિતા સાથે જોડાયેલ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.