લોક જનશક્તિ પાર્ટી (LJP) માં કાકા પારસ અને ભત્રીજા ચિરાગની લડાઈની અસર પાર્ટી પર પડી છે. ચૂંટણી પંચે પાર્ટી ચૂંટણી નિશાન બંગલો જપ્ત કરી દીધું છે.
LJPમાં કાકા-ભત્રીજાની લડાઈની અસર પાર્ટી પર પડી
ચૂંટણી પંચે LJP નું ચૂંટણી નિશાન જપ્ત કર્યું કર્યું
ચિરાગ-પારસે નવા નામ અને નિશાન પર લડવી પડશે ચૂંટણી
LJPનું ચૂંટણી નિશાન બંગલો છે
LJPમાં વર્ચસ્વની લડાઈથી તંગ આવેલા ચૂંટણી પંચે પાર્ટીનું ચૂંટણી ચિન્હ બંગલો જપ્ત કરી લેતા હવે નવા ચૂંટણી નિશાન સાથે ચૂંટણી લડવી પડશે.
બન્ને જૂથોએ નવા નામ અને નિશાને ચૂંટણી લડવી પડશે
ચૂંટણી પંચે જણાવ્યું કે પશુપતિ પારસ અને ચિરાગ બન્ને જૂથમાંથી કોઈને પણ બંગલાના નિશાનનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં અપાય. બન્ને જૂથોએ નવા નામ અને નિશાને ચૂંટણી લડવી પડશે. પોતાને લોકસભામાં સંસદીય પક્ષના નેતા જાહેર કર્યા પછી, પશુપતિ પારસે રાષ્ટ્રીય કારોબારીની રચના કરી છે અને પોતાને સ્પીકર તરીકે જાહેર કર્યા હતા. આ હોવા છતાં, ચૂંટણી પંચ તરફથી LJP નું નામ અને પ્રતીક ન મળવું તેમના માટે મોટો આંચકો છે. ચૂંટણી પંચમાં પારસ વતી પ્રથમ વખત ચૂંટણી નિશાનનો દાવો કરવામાં આવ્યો હતો. પશુપતિ પારસ જૂથ દ્વારા લેવાયેલા તમામ નિર્ણયોની માહિતી ચૂંટણી પંચને આપવામાં આવી હતી.
Election Commission of India (ECI) freezes Lok Janshakti Party's symbol amid tussle between factions of Chirag Pawan and Pashupati Kumar Paras pic.twitter.com/YmWQb5tyMe
પારસ પહેલા ચિરાગ પહોંચ્યા હતા ચુંટણી પંચમાં
LJP માં વિવાદ બાદ ચિરાગ પાસવાને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. તેમણે કમિશનને પૂછ્યું હતું કે જો LJP નો દાવો કોઈ કરે તો તેને પ્રથમ નજરે ફગાવી દેવો જોઈએ. જો કોઈ નિર્ણય લેવો હોય તો પહેલા ચિરાગ પાસવાનનો પક્ષ સાંભળવો જોઈએ.
Election Commission of India (ECI) freezes Lok Janshakti Party's symbol amid tussle between factions of Chirag Pawan and Pashupati Kumar Paras pic.twitter.com/YmWQb5tyMe
આ રીતે LJP માં બે જૂથો રચાયા હતા
LJP ના છમાંથી પાંચ સાંસદોએ ચિરાગ પાસવાન સામે બળવો કર્યો અને લોકસભામાં સંસદીય પક્ષના નેતા તરીકે પશુપતિ કુમાર પારસની પસંદગીનો દાવો કર્યો. તેને સ્પીકરની મંજૂરી પણ મળી ગઈ છે. આ સિવાય પારસ જૂથે નવી રાષ્ટ્રીય કારોબારીની રચના કરી અને પોતાને પક્ષના પ્રમુખ બનાવ્યા. તે જ સમયે, ચિરાગ પાસવાને LJP ની રાષ્ટ્રીય કારોબારીને પણ બોલાવી અને પારસ જૂથના નિર્ણયોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણાવ્યા.