ચૂંટણી પંચે માહિતી અધિકાર કાનૂન (RTI) હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભા ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા ભાષણોને લઇને ચૂંટણી કમિશ્નર અશોક લવાસાની અસહમતિને લઇને જાણકારી માંગી. ચૂંટણી પંચનું કહેવું છે કે, આરટીઆઇ અધિનિયમના નિયમ 8(1) (G) હેઠળ સૂચનાનો ખુલાસો કરી શકાય નહીં. કેમકે આ પ્રકારની જાણકારી કોઇપણ વ્યક્તિના જીવન અને એમની શારીરિક સુરક્ષાને ખતરામાં નાંખી શકે છે.
આરટીઆઇ કાર્યકર્તા વિહાર દુર્વેએ લવાસાની અસહમતી દર્શાવતી ટિપ્પણીઓ અંગે માંગ કરી હતી. જે વર્ધામાં 1 એપ્રિલ, લાતૂરમાં 9 એપ્રિલ, પાટણ અને બાડમેરમાં 21 એપ્રિલ અને વારાણસીમાં 25 એપ્રિલે થયેલી રેલીઓમાં મોદના ભાષણોથી સંબંધિત હતી.
EC on an RTI seeking Ashok Lavasa's dissent note in connection with PM Modi's speeches during campaigning for Lok Sabha election 2019: Information can't be disclosed under rule 8 (1) (g) of RTI act, disclosure which will endanger life or physical safety of any person or identify. pic.twitter.com/mbXhxMIGs2
દુર્વે આ ભાષણોના સંબંધમાં પંચ દ્વારા અપનાવવામાં આવેલી પ્રક્રિયા અને પંચ દ્વારા કરવામાં આવેલ નિર્ણયની જાણકારી માંગી હતી. આ સૂચનાને પણ અધિનિયમની ધારા 8 (1) (G) નો હવાલો આપી જાહેર કરવાથી મનાઇ ફરમાવી હતી.
લવાસાએ વડાપ્રધાન અને ભાજપા અધ્યક્ષ અમિત શાહના ભાષણો પર પંચ દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટ પર કથિત રીતે અસહમતિ દર્શાવી હતી. લવાસાએ પોતાની અસહમતી વાળી ટિપ્પણીઓને ચૂંટણી પંચના આદેશોમાં નોંધવાની માંગ કરી હતી. પરંતુ એવું ન બનવા પર લવાસાએ ખુદને ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘન સાથે જોડાયેલા મામલાથી અલગ કરી લીધો હતા.
આદર્શ આચાર સંહિતાના કથિત ઉલ્લંઘન માટે મોદી અને શાહ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદમાં ચૂંટણી પંચે 11 નિર્ણયો પર લવાસાએ કથિત પણે અસહમતિ દર્શાવી હતી.