ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી કમિશનરે લૂલો બચાવ કર્યો છે. ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે નિવેદન આપ્યું છે કે ગાંધીનગરની પ્રજા શિક્ષિત છે
કોરોનાકાળ વચ્ચે ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર
ચૂંટણી પંચ દ્વારા કોરોનાને લઈ કર્યો પોતાનો લૂલો બચાવ
ચૂંટણી પંચે કહ્યું કે, ગાંધીનગરની જનતા શિક્ષિત છે!
રાજ્યમાં કોરોનાનો કહેર છે ત્યારે વધુ એક મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે. ફરી એકવાર નેતાઓ કોરોનાને આમંત્રણ આપતા નજરે પડશે. ત્યારે ચૂંટણી પંચની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. 6 મનપાની ચૂંટણીની પૂર્ણાહુતીને હજુ એક મહિનાનો સમય થયો નથી. જેને લઈ એવા સવાલ ઉઠી રહ્યા છે કે, ગાંધીનગરની ચૂંટણી પણ 6 મહાનગરપાલિકાની ચૂંટણી સાથે કેમ ન કરવામાં આવી.
એક તરફ રાજ્યના 4 મહાનગરોમાં આંશિક લોકડાઉનની સ્થિતિ છે. ગાંધીનગરમાં ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે.ત્યારે આ મામલે સામાન્ય પ્રજા રોષ વ્યકત કરી રહી છે કે એક તરફ કામ ધંધા બંધ કરાવી રહ્યા છો અને બીજી તરફ જનમેદનીને ભેગી કરીને કોરોનાને આમંત્રણ આપવાનું કામ કરી રહ્યા છે. નેતાઓ ચૂંટણી કરે અને બાદમાં ભોગવવાનો વારો સામાન્ય પ્રજાને આવે છે તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે.
ચૂંટણીપંચનો લૂલો બચાવ
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી કમિશનરે લૂલો બચાવ કર્યો છે. ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે નિવેદન આપ્યું છે કે ગાંધીનગરની પ્રજા શિક્ષિત છે અને કોરોનાને ધ્યાને રાખીને તેઓ નિયમોનું પાલન કરશે.ત્યારે અન્ય શહેરોના લોકો રોષ વ્યકત કરી રહ્યા છે કે શું અન્ય શહેરોમાં શિક્ષિત પ્રજા નથી.
ગાંધીનગર ચૂંટણીની તારીખ જાહેર
ગાંધીનગર મહાનગર પાલિકા માટે 18 એપ્રિલે ચૂંટણી યોજાશે.
20 એપ્રિલના દિવસે પરિણામ જાહેર કરાશે.
પહેલી એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
11 વોર્ડમાં ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર
5 ચૂંટણી અધિકારી અને 5 મદદનિશ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.