ચૂંટણી પંચે બુધવારે સ્પષ્ટ કર્યું કે પહેલી વખત વોટ આપવા જઇ રહેલા મતદાતાઓથી પોતાો વોટ બાલકોટ હવાઇ હુમલાના નાયકો અને પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને સમર્પિત કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન ચૂંટણી પ્રચારમાં સશ્સ્ત્ર બળોનો ઉલ્લેખ નહીં કરવાના એના નિર્દેશોનું ઉલ્લંધન કરતું નથી.
ચૂંટણી પંચે ફરી એકવાર પીએમ મોદીને ક્લીનચીટ આપી છે. મહારાષ્ટ્રના લાતૂરમાં પીએમ મોદીએ સેનાને લઈને પહેલીવાર વોટિંગ કરી રહેલા વોટર્સને અપીલ કરી હતી. જેને ચૂંટણી પંચે આચાર સંહિતાનું ઉલ્લંઘન માન્યુ નથી.
મહેન્દ્રસિંહ નામની વ્યક્તિએ ચૂંટણી પંચને આચાર સંહિતા ભંગ બદલ ઓનલાઈન ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ બાદ ચૂંટણી પંચે પોતાની બેઠકમાં પીએમ મોદીના લાતૂરમાં આપવામાં આવેલા ભાષણની સીડી અને 11 પેજના તેમના ભાષણના ટ્રાન્સક્રિપ્શનની ઉંડી તપાસ કરી. પરંતુ તેમને લાગ્યુ કે આ મામલે આચાર સંહિતા ભંગ થયો નથી.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ લાતૂરમાં કહ્યુ હતુ કે, મારા ફર્સ્ટ ટાઈમ વોટર્સને કહેવા માગીશ કે તમારા જીવનનો પહેલો વોટ પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈક કરનારા વીર જવાનોને સમર્પિત થાય. હું તમને કહેવા માગીશ કે તમારો પહેલો વોટ પુલવામા હુમલામાં જે વીર શહીદ થયા તે શહીદોના નામે સમર્પિત થાય.