ઉશ્કેરણીજનક ભાષણો આપવાના આરોપસર ચૂંટણી પંચે બંગાળના સીએમ મમતા બેનરજી પર 24 કલાક સુધી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
મમતા બેનરજી 24 કલાક સુધી ચૂંટણી પ્રચાર નહીં કરી શકે
મમતા પર હિંદુ-મુસલમાન પર નિવેદન આપવાનો આરોપ
મમતા ભાષણમાં સંયમ રાખે-ચૂંટણી પંચ
ચૂંટણી પંચના પ્રતિબંધ બાદ મમતા બેનરજી 12 એપ્રિલના રાતના 8 થી 13 એપ્રિલના રાતના 8 સુધી કોઈ પણ પ્રકારનો પ્રચાર નહીં કરી શકે.
શું છે મમતા બેનરજી પર આરોપ
મમતા બેનરજીએ એક ચૂંટણી સભામાં હિંદુ-મુસલમાન અંગે નિવેદન આપ્યું હતું. બેનરજીએ મુસ્લિમોને ટીએમસીને વોટ આપવાની અપીલ કરી હતી. મમતા બેનરજી પર અર્ધસૈનિક દળો અને લઘુમતી સમૂદાયના વોટ ન વિભાજીત કરવાનું નિવેદન આપવાનો પણ આરોપ છે.
ચૂંટણી પંચની લાલ આંખ-મમતા ભાષણમાં સંયમ રાખે
મમતા પર પ્રચારનો 24 કલાકનો પ્રતિબંધ મૂકતા ચૂંટણી પંચે તેમને તેમના ભાષણમાં કાબૂમાં રહેવાનું પણ જણાવ્યું છે. ચૂંટણી પંચે જણાવ્યું કે બંગાળના સીએમ બેનરજીએ કાયદો અને વ્યવસ્થા ન બગડે તેવું કોઈ ભાષણ ન આપવું જોઈએ. મમતાએ દમદમની એક ચૂંટણી સભામાં જણાવ્યું તું કે હું ચૂંટણી પંચને હાથ જોડીને વિનંતી કરુ છું કે ફક્ત ભાજપનું ન સાંભળવામાં આવે, તમામ પક્ષોનું સાંભળવામાં આવે, પક્ષપાતી વલણ ન અપનાવવામાં આવે.
લગાવ્યા ગંભીર આરોપ
મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં હિંસા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી જવાબ માંગ્યો છે અને રાજ્યમાં વિધાનસભાની ચોથા ચરણની મતદાન દરમિયાન કૂચબિહારમાં જિલ્લામાં સિતાકૂલચીમાં કેન્દ્રીય બળોમાં લોકોના જીવ કેમ ગયા? તેમણે કહ્યું કે કેન્દ્રીય બળોના અત્યાચારને જોઈને તેમને ઘણા સમયથી આવું કઈંક થવાની આશંકા હતી જ.
અમિત શાહના રાજીનામાની માંગણી
મમતા બેનર્જીએ કહ્યું કે ચાર લોકોને મારવામાં આવ્યા છે. CRPF મારી દુશ્મન નથી પરંતુ ગૃહમંત્રીના ઇશારે ષડયંત્ર કરવામાં આવી રહી છે અને આજની ઘટના તેના પૂરાવા છે. આ સાથે જ મમતા બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાંની માંગ પણ કરી છે.