હળદરને આયુર્વેદિક ઔષધિનો એક પ્રકાર માનવામાં આવે છે, પરંતુ આપણે તેના ફાયદાઓ જાણ્યા વગર જ તેનો ઉપયોગ હદથી વધારે કરીએ છીએ.
વધારે હળદર પચવામાં મુશ્કેલ
વધારે હળદર ખાવાથી થશે આયર્નની કમી
ઝાડાનું કારણ બની શકે છે હળદરનું વધારે સેવન
હળદર એક એવો મસાલો છે. જે ભારતના દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે. ઘણીવાર આપણે તેના ફાયદાઓ વિશે સાંભળ્યું હશે. કારણ કે તે પ્રાચીન સમયથી આયુર્વેદિક દવાઓ માટે જાણીતું છે. આમ તો બીજા ઘણા પ્રકારના મસાલા છે, પરંતુ હળદરની ગણતરી સૌથી ફેમસ મસાલાઓમાં થાય છે.
ઘામાં રૂઝ લાવવા માટે રાત્રે દૂધ સાથે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. હાઈ બ્લડ પ્રેશર અને એલડીએલ, રક્ત પ્રવાહ, શરીરના કોષો તૂટવા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે તેના નુકસાન વિશે જાણો છો. જો નહીં તો ચાલો જાણીએ, તેનું સેવન સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક હોઈ શકે છે.
કિડનીમાં પથરી થવાની શક્યતા
હળદરનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ જો આપણે તેના ફાયદાઓ વિશે વિચારીને તેનું વધુ સેવન કરીએ તો તેમાં હાજર ઓક્સાલેટની માત્રા આપણા શરીરમાં પથરી બનાવવા લાગે છે અને આપણે પથરીનો શિકાર થઈએ છીએ. તેથી સેવન કરતા પહેલા તેની માત્રા વિશે જાણો અને તેના હિસાબથી તેનું સેવન કરો.
ઝાડાની થઈ શકે છે સમસ્યા
ઘણી વખત ઝાડાનું કારણ બહારનું ભોજન નથી હોતું. પરંતુ વધુ પડતી હળદર પણ આ સમસ્યાને વધારી શકે છે. કારણ કે તેમાં યોગિક કર્ક્યુમિન હોય છે. જે આપણા પેટમાં ગેસ્ટ્રિક નળીને યોગ્ય રીતે કામ કરતા અટકાવે છે. જેના કારણે ડાયેરિયાની સમસ્યા શરૂ થઈ જાય છે.
આયર્નની ઉણપ
આજ કાલના ભોજનમાં પૂરતા પ્રમાણમાં વિટામિન, મિનરલ્સ અને આયર્ન મળતું નથી. જેની શરીરને જરૂર છે. જેના કારણે આપણે બીમારીઓથી ઘેરાઈ જઈએ છીએ. શરીરમાં આયર્ન ઓછું હોવાને કારણે લોહીની ઉણપ થાય છે. પરંતુ હળદરના વધુ પડતા સેવનથી શરીરમાં હાજર આયર્ન સુકાઈ જાય છે. જેના કારણે નબળાઈની સાથે અન્ય સમસ્યાઓ પણ વધી શકે છે.