રોજના ડાયટમાં દરેક વ્યક્તિ અલગ અલગ પ્રમાણમાં મીઠું લેતા હોય છે. કોઈને વધારે મીઠું જોઈએ છે અને કોઈને ઓછું. પરંતુ શું તમે જાણો છો કે વધારે પ્રમાણમાં મીઠું ખાવાથી હાર્ટ, કિડની, આંખો અને મગજને નુકસાન થઈ શકે છે. એક્સપર્ટસ જણાવે છે કે વ્યક્તિએ રોજ 4થી 5 ગ્રામ મીઠું જ ઉપયોગમાં લેવું તે યોગ્ય છે.
આહારમાં વધારે મીઠું કરે છે નુકસાન
શરીરના અનેક અંગોને ઝડપથી કરે છે પ્રભાવિત
રોજ 4થી 5 ગ્રામ મીઠું લેવું જરૂરી
વ્યક્તિ કેટલા પ્રમાણમાં મીઠું ખાય છે તેનો આધાર તેની ખાવાની પદ્ધતિ સાથે સંકળાયેલો છે. જો વ્યક્તિ મસાલેદાર, તળેલું અને જંકફૂડ પસંદ કરે છે તો શક્ય છે કે તે સામાન્યથી વધારે મીઠું ઈનટેક કરે છે. વધારે મીઠું ખાનારી વ્યક્તિઓ અનેક બીમારીઓનો ઝડપથી શિકાર બને છે. તો જાણો વધારે મીઠું ખાવાથી કઈ બીમારીઓ તમારામાં પ્રવેશી શકે છે.
હાર્ટ અને દિલની બીમારીનો ખતરો વધે છે
વધારે સોડિયમ ખાવાથી આર્ટરીઝ જાડી થઈ જાય છે અને હાર્ટબીટ વધે છે. દિલમાં જ્યારે લોહીનો પ્રવાહ સારી રીતે નથી થઈ શકતો ત્યારે હ્રદય રોગનો ખતરો પણ વધે છે. તેનાથી સ્ટ્રોકની શક્યતા વધે છે. કેમકે વધારે સોડિયમ શરીરમાં બ્લડ ફ્લોને પ્રભાવિત કરે છે. એવામાં મગજ સુધી લોહી પહોંચતું નથી અને સ્ટ્રોકનો ભોગ બની શકાય છે.
આ અંગો પણ થાય છે પ્રભાવિત
વધારે મીઠાના સેવનથી હાઈ બીપીનો ખતરો રહે છે અને તેનાથી લોકોની આંખોનું તેજ ઘટે છે. શરીરમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય તો તેનાથી ફેટી લિવરની મુશ્કેલી પણ સર્જાય છે. કિડનીની કાર્યક્ષમતા પર પણ અસર થયા છે. લિવરની આસપાસ ફેટ જમા થાય છે અને સોજા આવે છે. કિડનીની કાર્યક્ષમતા પર પણ અસર થાય છે તે ફિલ્ટર કરવામાં અસમર્થ બને છે.
જાણો રોજ કેટલા પ્રમાણમાં મીઠું ખાવું યોગ્ય છે
તમામ બીમારીઓથી દૂર રહેવાનો ઉપાય છે ખોરાકમાં મીઠાનો ઉપયોગ ઓછો કરવો. શરીરમાં સોડિયમનું પ્રમાણ વધતાં બીમારીઓનો ખતરો વધવા લાગે છે. શરીરમાં સોડિયમ ન તો વધારે હોવું જોઈએ અને ન તો ઓછું.સ્વાસ્થ્ય વિશેષજ્ઞો કહે છે કે રોજ 2300 મિલિગ્રામ એટલે કે 4થી 5 ગ્રામથી વધારે મીઠું ખાવું જોઈએ. આનાથી વધારે મીઠું નુકસાન કરે છે.