ડુંગળી અને લસણને સુપરફૂડ્સ માનવામાં આવે છે કેમકે ખાવામાં સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદારૂપ છે. આર્યુવેદમાં ડુંગળી અને લસણથી પ્યૂરિફાયર માનવામાં આવે છે, એટલા જ માટે લસણનો પ્રયોગ ઘણી આર્યુવેદિક ઔષધિઓમાં નિર્માણમાં પણ કરવામાં આવે છે. એવામાં આ બંને વસ્તુઓના સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ છે પરંતુ જો ડુંગળી અને લસણને કાચું ખાવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે. જોકે રિસર્ચમાં પણ આ વાત સાબિત થઇ ચૂકી છે.
એક રિસર્ચ અનુસાર, ડુંગળી અને લસણને કાચ્ચાં ખાવાથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનો ખતરો ઘટી જાય છે. ડુંગળી અને લસણ બંને જ રોજિંદગા ખાણીપીણીનો ભાગ છે અને બંનેમાં ઘણા એન્ટઓક્સિડન્ટ્સ મળી આવે છે, જે શરીર માટે ફાયદારૂપ છે. ન્યૂયોર્કની યૂનિવર્સિટી ઑફ બફેલો અને યૂનિવર્સિટી ઑફ પ્યૂર્તો રિકોની 600 મહિલાઓ પર કરવામાં આવેલી સ્ટડીમાં આ વાત સામે આવી છે કે કાચ્ચી ડુંગળી અને લસણ ખાઇને બ્રેસ્ટ કેન્સરના જોખમને ઘટાડી શકાય છે.
સ્ટડીમાં સામે આવ્યુ છે કે, જે મહિલાઓએ દિવસમાં એકવખત કાચી ડુંગળી અને લસણ મિક્સ કરીને તૈયાર કરવામાં આવેલા સોફ્રિટો (એક પ્રકારનો સૉસ જેનો લેટિન, ઈટાલિયન અને અમેરિકન ફૂડમાં ખૂબ ઉપયોગ થાય છે) નું સેવન કર્યુ તેમનામાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ 67% ઓછુ જોવા મળ્યુ. લસણ અને ડુંગળીને કાચા ખાવા જ ફાયદારૂપ છે. લસણ-ડુંગળી સાંતળીને કે પકવીને ખાવાથી તેમાંથી એન્ટી ઓક્સિડન્ડ્સ કેન્સરને હરાવવા માટે જરૂરી માનવામાં આવે છે.
નિષ્ણાતો અનુસાર, ડુંગળીમાં અલ્કેનાઇલ સિસ્ટીન સલ્કોક્સાઇડ રહેલુ છે, જેને કેન્સર અવરોધક તત્વ માનવામા આવે છે. સ્ટડી અનુસાર, ડુંગળી અને લસણ ખાવાથી ફેફસા, પ્રોસ્ટેટ અને પેટના કેન્સરના રિસ્ક ઓછું કરી શકાય છે. સ્ટડીના પરિણામો ન્યૂટ્રિશન એન્ડ કેન્સર નામના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.