શિયાળામાં આજે પણ ઘણાં લોકો બાજરાની રોટલી તથા ખિચડી ખાવાનું પસંદ કરે છે. કહેવાય છે કે એંટીઓક્સીડેન્ટથી ભરપુર બજારને ખાવાથી મેટાબોલિઝમ સારું થાય છે તથા મોટાપો ઓછો થાય છે.
પાચન:
પાચનતંત્રના સારું રહેવા પર ઘણી બીમારીઓ આપણાથી કોસો દુર રહે છે.બજારમાં ફાઈબર ઘણીખરી માત્રમાં હાજર હોય છે તેમજ તેનું વ્યવસ્થિત રીતે સેવન કરવાથી આપનું પાચનતંત્ર સારૂ રહે છે. બાજરાનું સેવન આજથી જ શરુ કરો.
સ્કિન:
બજરામાં એંટીઓક્સીડેન્ટ સિવાય ફીનોલીક્સ પણ હાજર હોય છે તથા સ્કીનના મામલામાં આ એક એન્ટીબોડીઝના રૂપથી કામ કરે છે. જો સમય પહેલા જ ચહેરા પર કરચલીઓ આવી ગઈ છે તો બાજરાના સેવનથી તેને દૂર કરવામાં મદદ મળે છે.
આયરન:
શરીરમાં આયરનની ખોટ થવાથી સ્વસ્થ્ય પર પણ અત્યંત પ્રભાવ પડે છે. આયરનથી ભરપૂર બજારને લેવાથી સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. આપ ઈચ્છો તો રોટલીની જગ્યાએ બજારની ખિચડી પણ લઇ શકો છો.
હાર્ટ માટે ઉપયોગી:
વિશેષજ્ઞોનું માનીએ તો બાજરો કેલેસ્ટ્રોલ ઘટાડવામાં કારગર છે અને એ જ કારણે હાર્ટની બીમારિઓ આપણને પોતાની લપેટમાં લઇ શકતી નથી. અસલમાં, બજરામાં ફાઈબર હોય છે અને તેનુ લગાતાર સેવન કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.
એનર્જી:
બાજરો ખાવાથી એનર્જી મળે છે, કેમકે તેને ઉર્જાનો પણ સારો સોર્સ માનવામાં આવે છે. જોવા જઈએ તો આજકાલનાં ભાગદોડ ભરેલ જીવનમાં એનર્જેટિક રહેવું જરૂરી છે અને શરીરમાં ઉર્જા ટકાવી રાખવા માટે આપ બાજરાનું સેવન કરી શકો છો.