તમે પપૈયું નિયમિત રીતે ખાતા હો અને તે ખાધા બાદ જો પેટમાં દુખાવો શરુ થઇ જાય કે ચુંક આવવા લાગે તો એલર્ટ થવાની જરુર છે. તેનું એક કારણ પપૈયુ કેમિકલથી પકવવામાં આવ્યુ હોય તે પણ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કાર્બાઇડથી પકવેલુ પપૈયુ શરીરમાં ફુડ પોઇઝનિંગની સાથે ઘણા અંગો પર પણ અવળી અસર કરે છે.
ઉલ્લેખનીય છે કે, કુદરતી રીતે પકવેલા પપૈયામાં ઘણા જરુરી પોષકતત્વો અને એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે, પરંતુ હાલમાં આ ફળને કેમિકલથી પકવવામાં આવે છે. આ માટે તેને કાચુ તોડી લેવામાં આવે છે. ત્યારબાદ તેને પકવવા માટે કાર્બાઇડના સંપર્કમાં રાખવામાં આવે છે. આ કારણે તેની અંદરની અને ઉપરની સપાટીનો રંગ આર્ટિફિશિયલ હોય છે અને તે પાકેલું જોવા મળે છે.
13 પ્રકારના કેમિકલ્સ
કાર્બાઇડ કાર્બન અને ઇલેક્ટ્રોનેગેટિવ તત્વોનું મિશ્રણ છે. તેમાં 13 પ્રકારના કેમિકલ્સ હોય છે. જ્યારે તેને ફળ કે શાકભાજી સાથે રખાય છે ત્યારે આ રસાયણોની ગરમી અને ઉષ્માથી તે પાકે છે. જ્યારે કોઇ વ્યક્તિ કાર્બાઇડથી પાકેલુ પપૈયુ ખાય છે ત્યારે મેટલ્સ અને ટોક્સિન્સ શરીરની અંદર જાય છે. તે સાથે ઉલ્ટી અને ઘણા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે.
આ લક્ષણને ઓળખો
પપૈયુ ખાધા બાદ દસ-પંદર મિનિટ બાદ પેટ દર્દ કે મરોડની સાથે સતત લીલા રંગની ઉલ્ટી થાય છે. ચક્કર આવે છે. નબળાઇ લાગે છે. બ્લડ પ્રેશર લો થતુ જાય છે. આવા સંજોગોમા તાત્કાલિક ડોક્ટરની સલાહ લો પપૈયામાં આ ગુણ હોય છે.
પપૈયામાં વિટામીન બી, સી, કે અને કેરોટીન, ફ્લેવેનોઇડ, ફોલેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર હોય છે. તે આંખોની રોશની અને ત્વચાની ચમક વધારે છે. તેમા રહેલુ બીટા કેરોટીન અસ્થમામાં રાહત આપવાની સાથે કેન્સરથી પણ બચાવે છે. પપૈયુ પેટ માટે પણ સારુ માનવામાં આવે છે.