હાર્ટ એટેકની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અનહેલ્ધી ફૂડ અને બેઠાડુ જીવનશૈલીને કારણે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી રહી છે
સરગવાના પાનના પાવડર છે ઉપયોગી
હાર્ટ એટેકનુ ઘટી જશે જોખમ
કોલેસ્ટ્રોલ પણ રહેશે કંટ્રોલમાં
બદલાતી લાઇફસ્ટાઇલ અને ખાવા-પીવામાં ધ્યાન ન રાખવાને કારણે શરીરમાં રોગો ઉદ્ભવે છે. ત્યારે આજે વાત કરીએ એવા એક રોગની જેને કારણે મોટા મોટા સેલિબ્રિટીઓ મોતને ભેટ્યા. આજે વાત કરીએ હાર્ટ એટેકની. જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે, ત્યારે હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. ત્યારે ડાયટની સાથે સાથે કેટલાક એવા પણ ઉપાય છે જે હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકે છે.
સરગવાના પાન છે લાભદાયી
આયુર્વેદમાં સરગવે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સરગવોની શીંગો અને પાંદડાઓનો ઉપયોગ ઘણી દવાઓમાં પણ થાય છે. તેમની ઘણી જગ્યાએ અને ઘરોમાં જોવા મળશે. સરગવામાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, એમિનો એસિડ, વિટામિન એ અને સી મળી આવે છે. મોરિંગામાં ખનિજો પણ ભરપૂર પ્રમાણમાં છે. આ ખાવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે અને હૃદય પણ સ્વસ્થ રહે છે.
ડાયાબિટીસ કંટ્રોલ કરે છે.
સરગવાના પાન ખાવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે. તેને ખાવાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે. સરગવામાં ક્લોરોજેનિક એસિડ હોય છે, જે ખોરાક ખાધા પછી બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.
હૃદયને રાખે છે સ્વસ્થ
સરગવાના પાન ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, જેનાથી હૃદય સંબંધિત સમસ્યાઓ થતી નથી. જો તમારું કોલેસ્ટ્રોલ વધારે હોય તો તેનાથી રક્તવાહિનીઓ ગંઠાઈ જાય છે અને હાર્ટ એટેકનો ખતરો રહે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે
સરગવાના પાનનો પાવડર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેના પાન ફાયટોન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
થાક અને નબળાઈ દૂર કરે છે
સરગવો ખાવાથી શરીરને એનર્જી મળે છે, જેનાથી થાકની સમસ્યા દૂર થાય છે. સરગવોના પાંદડામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે અને તે સુસ્તી અને નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે.