બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઠંડીની સિઝનમાં ખાલી પેટ લસણ ખાવું એક વરદાન સમાન, પરંતુ આ બાબતનું ખાસ ધ્યાન રાખજો
Last Updated: 12:57 PM, 11 December 2024
ADVERTISEMENT
આયુર્વેદમાં લસણને મહાઔષધિ અને મહારાસોન કહેવાય છે. આ એક એવી ઔષધી છે જે અમૃત સમાન છે. લસણની કળીઓમાં અદ્ભુત ગુણ હોય છે, જેથી તેને શિયાળાની ઋતુમાં દરેક લોકોને ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તેનું સેવન સાવધાનીપૂર્વક કરવું જોઈએ.
રાંધેલું લસણ પૌષ્ટિક, સ્નિગ્ધ, ગરમ, પચવામાં સરળ અને રસ તીખો અને મધુર હોય છે. તે તૂટેલા હાડકાંને જોડવામાં અસરકારક સાબિત થાય છે. આયુર્વેદ મુજબ તેનામાં કંઠને સુધારવાના ગુણ હોય છે. યુએસ નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં લસણના ગુણો પણ જણાવાયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો દરરોજ કાચા લસણનું સેવન કરે છે તેમને શરદી કે ફ્લૂ થવાની શક્યતા 63 ટકા ઓછી હોય છે.
ADVERTISEMENT
લસણમાં આટલા બધા ગુણો છે પરંતુ તેના સેવનમાં સાવધાની રાખવી જરૂરી છે. આજકાલ લગભગ દરેક ત્રીજી વ્યક્તિ યુરિક એસિડ અને કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યાથી પીડાય છે. જેથી તેમને અનેક પ્રકારના રોગોનો ભોગ બનવું પડે છે. તેને કંટ્રોલ કરવામાં લસણ કારગર નિવડે છે.
કાચું લસણ આ બધાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટીઑકિસડન્ટ જેવા ગુણધર્મો સાથે લસણમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક અને સેલેનિયમ તેમજ વિટામિન સી, વિટામિન એ અને વિટામિન બી હોય છે. લસણ બ્લડ ફ્લોને વધારવાનુ કામ પણ કરે છે.
જે લોકોને યુરિક એસિડ અથવા કોલેસ્ટ્રોલ સંબંધિત સમસ્યા હોય તેમને સવારે ખાલી પેટે કાચું લસણ ખાવુ જોઈએ. માત્ર બે કળીઓ સવારે ખાવાથી આ સમસ્યામાં આરામ મળે છે. આયુર્વેદના નિષ્ણાંતો અનુસાર રાત્રે સૂતા પહેલા લસણની 2 કળી પાણીમાં પલાળી રાખવી. પછી તેને સવારે ખાવી. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી કે, જો તમને કોઈ એલર્જી છે અથવા કોઈ દવા લઈ રહ્યા છો તો ડૉક્ટર સાથે ચર્ચા કરીને જ તેનું સેવન કરવું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે
ADVERTISEMENT