Nipah Virusને લઈને AIIMSના એક્સપર્ટે ચેતવણી આપતા કહ્યું કે ફળને ધોયા વિનાની આદત જીવલેણ બની શકે છે. ચામાચિડીયા ફળને ખાય છે ત્યારે તેની લાળ ફળ પર રહે છે અને વાયરસ ફેલાય છે.
Nipah Virusને લઈને AIIMSના એક્સપર્ટની ખાસ ચેતવણી
ફળને ધોયા વિના ખાવાની આદત લઈ શકે તમારો જીવ
ચામાચિડિયાની લાળ ફળ પર રહે છે અને તેનાથી વાયરસ ફેલાય છે
કેરળના સ્વાસ્થ્ય વિભાગે 251 વ્યક્તિઓની તપાસ કરી જે નિપાહ વાયરસના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર 12 વર્ષના બાળકના સંપર્કમાં આવ્યા હતા. તેમાંથી 38 લોકો કોઝિકોડ મેડિકલ કોલેજમાં અલગ રહી રહ્યા છે અને 11 લોકોમાં લક્ષણો જોવા મળ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે સોમવારે આ વાત કહી હતી. આ સાથે એઈમ્સમાં મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. આશુતોષ બિસ્વાસના અનુસાર ફ્રૂટ બેટ્સના કારણે આ વાયરસ ફેલાય છે. તેઓએ કહ્યું કે ફ્રૂટ બેટ્સ નિપાહ વાયરસ ફેલાવે છે અને તે ટ્રાન્સમિશનનું મુખ્ય કારણ છે. ફ્રૂટ્સ બેટ્સ એક ખાસ વિસ્તારમાં રહે છે. તે એક જગ્યાએથી અન્ય જગ્યાએ જાય છે તો સ્વાભાવિક છે કે વાયરસ ફેલાશે. અમારી પાસે આ બીમારીની કોઈ ખાસ સારવાર નથી. તેઓએ કહ્યું કે આપણે સમજવું પડશે કે આ એક ગંભીર બીમારી છે અને તેનો મૃત્યુદર વધારે છે.
શું કહ્યું ડો. બિસ્વાસે
તેઓએ કહ્યું કે પહેલા જાણવા મળ્યું હતું કે ભારતમાં ફ્રૂટ બેટ્સ ઘરેલૂ જાનવરો જેવાકે ભૂંડ, બકરી, બિલાડી, ઘોડા અને અન્યમાં વાયરસ ટ્રાન્સમીટ કરે છે. આ માટે જાનવરોથી મનુષ્યોમાં આ વાયરસ પહોંચવાનું ખતરનાક છે,તેને અમે સ્પિલઓવર કહીએ છીએ.
ધોયા વિનાના ફળ ખાવું બની શકે છે જીવલેણઃ ડોક્ટર બિસ્વાસ
વાયરસના સ્ત્રોતની શોધને ધ્યાનમાં રાખીને ડો. બિસ્વાસે કહ્યું કે એકવાર જ્યારે આ વાયરસ હ્યુમન સર્ક્યુલેશનમાં આવી જાય છે તો તે હ્યુમન ટ્રાન્સમીટ થવા લાગે છે. તેનું ટ્રાન્સમીશન ઝડપી હોય છે આ માટે તેની ઓળખ કરવાનું મહત્વનું રહે છે. તેઓએ કહ્યું કે નીચે પડેલા ફળો અને તે પણ ધોયા વિના ખાવાની આદત ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. અહીંથી વાયરસ જાનવરથી માણસમાં પ્રવેશ કરી શકે છે.
કેરળ અને બંગાળમાં નિપાહની પહેલી લહેર
બિસ્વાસે કહ્યું કે કેરળ અને બંગાળમાં નિપાહની 1-1 લહેરનો સામનો કરવાની શરૂઆત થઈ છે. પહેલાની લહેરમાં 90 લોકોના મોત થયા હતા. તો 2019માં ફક્ત 1 કેસ આવ્યો હતો. 2021માં પહેલો કેસ આવ્યો અને 12 વર્ષના બાળકનું મોત થયું. એવામાં એ સમજવું જરૂરી છે કે આવું શા માટે થઈ રહ્યું છે.