કોરોના વાયરસ (Coronavirus) ના ડરથી ચિકન (Chicken) ખાવાનું છોડી દેનાર લોકો માટે સારા સમાચાર છે. ભારત સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ચિકન ખાવાથી આ વાયરસનો ખતરો નથી. ભારત સરકારના પશુપાલન મંત્રાલયે વિશ્વાસ અપાવ્યો છે કે, ચિકન ખાવાથી કોઇના પણ શરીરમાં કોરોના વાયરસની કોઇ અસર થતી નથી.
ભારત સરકારની સ્પષ્ટતા, ચિકન ખાવાથી કોરોના વાયરસનો ખતરો નથી
ચિકન ખાવાથી કોઇના પણ શરીરમાં કોરોના વાયરસની કોઇ અસર થતી નથી
આ સમસ્યાને લઇને એક પ્રતિનિધિમંડળે પશુપાલન મંત્રી ગિરિરાજ સિંહની મુલાકાત કરી
પશુપાલન મંત્રાલયનું માનવું છે કે, કેટલાક અસામાજિક તત્વ પોતાના ફાયદા માટે પોલ્ટ્રી વેપારીઓ અને નાગરિકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આવી પાયાવિહોણી અને ઉપજાવી કાઢેલી અફવાઓને કારણે ન માત્ર દેશના પોલ્ટ્રી વ્યવસાય પર ખરાબ અસર પડી રહી છે, પરંતુ આ વેપાર સાથે જોડાયેલા દેશના લાખો ખેડૂતોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પશુપાલન મંત્રી બોલ્યા, પોલ્ટ્રી ચિકન સુરક્ષિત
ભારત સરકારના પશુપાલન મંત્રી ગિરિરાજ સિંહ (Giriraj Singh) એ મંત્રાલયના અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે ચિકન ગ્રાહકોને કોરોના વાયરસને લઇને ફેલાવામાં આવી રહેલા દુષ્પ્રચારની જાણકારી આપવામાં આવે. ગ્રાહકોને બતાવવામાં આવે કે, પોલ્ટ્રી ઉત્પાદનોને કોરોના વાયરસથી કોઇ સંબંધ નથી. પોલ્ટ્રી ચિકન પૂર્ણ રીતે સુરક્ષિત છે. દેશના તમામ ગ્રાહકો કોઇપણ જાતના ડર વિના પોલ્ટ્રી ચિકન ખરીદી શકે છે. નાગરિકો આવા પ્રકારની કોઇપણ સૂચનાઓ પર ધ્યાન ન આપે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જો આ પ્રકારની સૂચનાને લઇને કોઇપણ નાગિરક અથવા સંસ્થાને શંકા છે, તો તેઓ ભારત સરકારના પશુપાલન વિભાગનો સંપર્ક કરી શકે છે.
પોલ્ટ્રી વેપારીઓ કરી મુલાકાત
નોંધનીય છે કે, આ સમસ્યાને લઇને એક પ્રતિનિધિમંડળે પશુપાલન મંત્રી ગિરિરાજ સિંહની મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિમંડળમાં આઇબી ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર બહાદુર અલી, નિર્દેશક ગુલરેજ આલમ અને પોલ્ટ્રી એક્સપર્ટ્સ વિજય સરદાના પણ સામેલ હતા. મુલાકાત દરમિયાન, પ્રતિનિધિમંડળે પશુપાલન મંત્રીને સોશિયલ મીડિયામાં અસામાજિક તત્વો દ્વારા પોલ્ટ્રી ગ્રાહકો અને પોલ્ટ્રી વ્યવસાયને ગેરમાર્ગે દોરવાની જાણકારી આપી.
પોલ્ટ્રી બર્ડથી વાયરસનો ચેપ નથી લાગતો
કેન્દ્રીય મંત્રી સાથેની પોલ્ટ્રી વેપારીઓની મુલાકાત બાદ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે કોરોના વાયરસ (Coronavirus) એકથી બીજા વ્યક્તિમાં ઇન્ફેક્શનથી ફેલાય છે. પોલ્ટ્રી બર્ડથી કોઇ વ્યક્તિમાં તેનો ચેપ નથી લાગતા. મંત્રાલયએ આ વાતની પુષ્ટી કરી કે વિશ્વભરમાં કોરોના વાયરસનો પોલ્ટ્રી ઉત્પાદનો સાથે નું કોઇ કનેક્શન નથી મળ્યું. દુનિયાભરમાં પોલ્ટ્રી બર્ડ અથવા પોલ્ટ્રી ઉત્પાદનથી કોઇ પણ વ્યક્તિ કોરોના વાયરસનો શિકાર નથી બન્યો.