પાણીપૂરી દરેક પ્રાંતમા જુદા-જુદા નામે ઓળખાય છે. ગુજરાતની પાણીપૂરી કે પકોડી મહારાષ્ટ્રમાં પાણીપૂરી અને ગુપચુપ તરીકે હરિયાણામાં પતાશે યુપીમાં બતાશે કે ગોલગપ્પા બિહારમાં ફુલ્કી પશ્ચિમ બંગાળમાં પુચકા ઓડિશામાં પાણીપૂરી તરીકે ઓળખાય છે. પકોડીનું નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય છે.
જો કે એને ખાનારા લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર માનવામાં આવી છે. પરંતુ હવે જો કોઈ તમને ટોકે તો એને પકોડીની ખાસિયતો સમજાવો. સૌથી અગત્યની વાત છે કે પકોડી કદી તમારી પાચનક્રિયા નથી બગાડતી આનો સ્વાદ વધારવા માટે વપરાતા મસાલા ખરેખર તો તમારું પાચન સુધારે છે. તમને પણ અમારી વાત સાચી નહીં લાગે પણ એ સત્ય છે.
એ તમારો મૂડ સુધારે છે કારણ કે એનું ચટપટું પાણી કેટલાય મસાલાઓથી બને છે જે એસિડિટીને પેટની તકલીફો દૂર કરે છે. જો એને યોગ્ય મેથડથી બનાવવામાં આવે તો એના સેવનથી વજન ઉતરે છે.
સૌથી પહેલી વાત કે એમાં મીઠું જરાય ના નાંખો અને ફુદીનો હિંગ લીંબુ કે કાચી કેરી મિક્સ કરવામાં આવે. પાણીમાં ટમાટર પણ ના નાંખવું જોઈએ. તેમજ પકોડી સોજીને બદલે લોટની બનાવવી જોઈએ. પ્રવાસમાં બંધ વાતાવરણમાં કેટલાક લોકોને ગભરામણ થાય છે. ક્યારેક તો ઉલટી જેવું પણ થાય છે.
આવામાં લોટની બે-ત્રણ પકોડી ખાવાથી લાભ થશે. પકોડીનો તીખો અને ખાટો સ્વાદ મોના છાલામાં રાહત આપે છે તેમાં જલજીરા આમલી અને ફુદીનો હોય છે. તેની તિખાશ અને ખટાશ પેટ સાફ કરે છે અને છાલાનું પાણી કાઢીને એમને સુકવી દે છે. ઉનાળામાં બહાર નીકળીએ તો તરસ વધારે લાગે છે અને થાક પણ ફીલ થાય છે. આવામાં ખાલી પાણી પીવાને બદલે થોડી પકોડી ખાઈ લો.
તમે પકોડી પછી પાણી પીશો તો તમને ફ્રેશ ફીલ થશે. લંચ ટાઈમ પકોડી ખાવા માટેનો શ્રેષ્ઠ સમય છે. સાંજે પકોડી ખાવાથી વજન વધવાની સંભાવના હોય છે. તેમજ કસરત કર્યા પહેલા કે પછી તેને ખાવાથી નુકસાન થાય છે.
પકોડી મેંદા-સોજીમાંથી અથવા તો ખાલી સોજીમાંથી કે પછી લોટમાંથી બનાવાય છે. કણક બાંધતી વખતે હંમેશાં નવશેકા પાણીનો ઉપયોગ કરો. તેને પૂરીના લોટ કરતાં થોડો નરમ બાંધો. પકોડીવાળા હંમેશા પૂછે છે સોજી કે લોટ? તેથી હવે તે તમને આ પ્રશ્ન પૂછે છે તેને લોટની પકોડી ખવડાવવાનું કહો. આ તમને તમારું વજન ઘટાડવાનું લક્ષ્ય પૂરું કરવા માટે મદદ કરશે. તેમજ પૂરણ તરીકે ચણા કે વટાણાને બદલે મગ અથવા ચણાની દાળનો ઉપયોગ વધારે ફાયદો કરાવશે.